હરિત કણ એટલે ક્લોરોફિલ પાંદડું એટલે લીલું. લીલો રંગ તેમાં રહેલા કલોરોફિલ તત્ત્વને આભારી છે. આપણાં લોહીમાં રક્તકણોને કારણે લોહી લાલ દેખાય છે તેમ કલોરોફિલને કારણે હરિતકણોથી પાંદડું લીલા રંગનું દેખાય છે. આપણે ત્યાં કહેવત છે કે પીળું એટલું સોનું નહીં એમ પાંદ એટલે લીલા રંગનું જ હોય એવું જરૂરી નથી. હરિતકણો વગરના પીળા પાંદડાં પણ લીલાછમ્મ હોઈ શકે છે. લાલ, જાંબલી, કેસરી, ભુખરા, પીળા કે પીળી ટપકીવાળા, પોપટી એમ અનેક રંગના પાંદડાંવાળી વનસ્પતિ હોય છે. પાંદડાંના આકાર પણ કેવા! ગોળ, લંબગોળ, તીર જેવા, ભાલા જેવા, કળશ આકારના, કરવતની ધાર જેવા, તલવારની ધાર જેવા એમ અનેક આકારના પાંદડાં સીમ – ખેતર કે જંગલમાં રખડો એટલે જોવા મળે.

તલનો પર્ણગુચ્છ/ ફાયલોડી
આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા ફોસ્ફામીડોન ૪૦ એસએલ 15 મિલિ 15 લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.

















