રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 8 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15 લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ઓડી 30 મીલિ અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી 20 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી 8 ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મીલિ પ્રતિ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

પાક વૃદ્ધિ ઉત્તેજકો કોને કહેવાય ?
જે પદાર્થ વનસ્પતિની વૃદ્ધિ તથા (વનસ્પતિની જૈવિક ક્રિયાઓ જેવી કે અભિક્રિયા અને ચયાપચય વધારવા ઉપર પ્રભાવ પાડે તેવા પદાર્થોને વૃદ્ધિ ઉત્તેજકો કહેવાય છે. દા.ત. દરેક પ્રકારના ઓકઝીન જેવા કે ૧-નેપ્થેલીન એસિટીક એસિડ















