દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે  બીટી કપાસમાં ૩ ટકા પોટેશિયમ નાઈટ્રેટ (KNO3)ના ૩ છંટકાવ (ફૂલભમરી, ફૂલ અને જીંડવાના વિકાસની અવસ્થાએ) કરવાથી ઉત્પાદનમાં વધારો થાય છે.

દક્ષિણ ગુજરાતના બીટી કપાસ ઉગાડતા ખેડૂતોને કપાસના પાન લાલ થતા અટકાવવા ફૂલ બેસવાનીઅવસ્થાએ ૧% યુરીયા તથા ૧% મેગ્નેશિયમ સલ્ફેટનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવી છે.

મધ્ય ગુજરાતના ખેડૂતોને બીટી કપાસના પાકમાં રાતડા અને દેહધાર્મિક સુકારાના રોગમાં છોડ પર યુરિયા, ફેરસ સલ્ફેટ, ઝીંક સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ (દરેકના ૫૦ ગ્રામ/૧૦ લિટર પાણી)નો છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે. વધુમાં બીટી કપાસમાં મેગ્નેશિયમની ઉણપ નિવારવા ૧% મેગ્નેશિયમ સલ્ફેટનું દ્રાવણ બનાવી વાવણીના ૯૦ દિવસે છોડ પર છંટકાવ કરવાની ભલામણ છે.

દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં બીટી કપાસનું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત સરકારે પ્રમાણિત કરેલ માઈક્રોન્યુટ્રીસન્ટ ગ્રેડ-૪ (લોહ ૪%. મેંગેનીઝ ૧%, ઝીંક ૬%, કોપર ૦.૫% અને બોરોન ૦.૫%)ના ૧% દ્રાવણનો કપાસની વાવણી બાદ ૪૫, ૬૦, ૭૦ અને ૯૦ દિવસે છંટકાવ કરવો. તે સિવાય કપાસની ફૂલ અવસ્થા, જીંડવા અવસ્થા અને જીંડવાના વિકાસની અવસ્થાએ ૧% રાસાયણિક ખાતર ૧૯:૧૯:૧૯ એનપીકેનો છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે.

દક્ષિણ ગુજરાતના બીટી કપાસની ખેતી કરતાખેડૂતોને વધુ ઉત્પાદન મેળવવા માટે પાકને ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત કેળના થડમાંથી બનાવેલ સેન્દ્રિય પ્રવાહી ખાતરના ૨% દ્રાવણનો ફૂલ અવસ્થાએ છંટકાવ કરવો અથવા તો પોટેશિયમ નાઈટ્રેટના ૩%ના દ્રાવણના ૩ છંટકાવ (પ્રથમ છંટકાવ ફૂલભમરી અવસ્થાએ, બીજો છંટકાવ ફૂલ ખીલવવાની અવસ્થાએ અને ત્રીજો છંટકાવ ઝીંડવા બેસવાની અવસ્થાએ) કરવાની ભલામણ કરવામાં આવે છે. 

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

કપાસ : મોલો-મશી, તડતડીયાં, સફેદમાખી, થ્રિપ્સ

બ્યૂવેરીયા બેસીયાના કે વટિર્સીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી 15 ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ

વધુ વાંચો....

ગુલાબી ઈયળ

કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો હોય તો છેલ્લી વીણી બાદ ખેતરમાં ઘેટાં-બકરાં ચરાવવા એવી સલાહ આપવામાં આવેછે. કારણ કે ઘેટાં-બકરાં છોડ પર રહેલા ઉપદ્રવિત જીંડવા (કે જેમાં ગુલાબી ઈયળ સુષુપ્તાવસ્થામાં ભરાઈ

વધુ વાંચો....

જીવાત : કપાસની ચૂસિયાં જીવાત

મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી, તડતડીયાં અને ગુલાબી ઇયળ મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી અને તડતડીયાં માટે ફ્લોનિકામાઈડ ૫૦% ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦% ડબલ્યૂપી 15 ગ્રામ અથવા ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ 6 મીલિ અથવા ડાયનોટેફ્યૂરાન

વધુ વાંચો....

રોગ : કપાસમાં ખૂણિયા ટપકાં/ જીવાણુ જન્ય રોગ

1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ 60 ગ્રામ કોપર ઓકિંઝક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ જૈવિક નિયંત્રકના 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીનો ૧૫-૨૦ દિવસના અંતરે ત્રણ વખત

વધુ વાંચો....

પાક સંરક્ષણ : કપાસના પાનના ધાબા

કપાસના પાનની ઉપરૅની સપાટી પર કાળા રંગની ફૂગની હાજરી જણાતાં ઘણી વખત ખેડૂતો અજાણતા તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. તે યોગ્ય નથી. મોલો અને સફેદમાખી જેવી ચૂસિયાં પ્રકારની જીવાતો

વધુ વાંચો....

કપાસમાં મીલીબગ

કપાસના પાકમાં ગલાબી ઈયળ અને ચિકટો (મીલીબગ) બન્ને અગત્યની જીવાત ગણાય છે આ જીવાતોની વસ્તી ઓછી થાય તે માટે કેટલાક બિન-રાસાયણિક પગલાં સૂચવવામાં આવે છે દા.ત. કપાસની છેલ્લી વીણી પુરી થાય તે

વધુ વાંચો....

કૃષિ માહિતી : કપાસના રોગ – જીવાત ઓળખો

કપાસમાં પાનની નીચેની સપાટી પર થ્રિપ્સ નામની જીવાત નુકસાન કરે છે. તેને લીધે પાનની સપાટી ઝાંખી સફેદ થઈ જાય છે. ઉપદ્રવ વધુ હોય તો આખો છોડ ભૂખરો થઈ જાય છે. પાનકથીરી નામની

વધુ વાંચો....

કઠોળ પાકો માં પોષક તત્વો જરૂર આપો 

ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચણાનું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે ૨% પોટેશિયમ નાઈટ્રેટના બે છંટકાવ (પ્રથમ છંટકાવ ફૂલ આવવાના અને બીજો છંટકાવ પોપટાના વિકાસના સમયે) કરવાથી વધુ ઉત્પાદન મળે છે.

વધુ વાંચો....

કપાસની ગુલાબી ઇયળ

 ગુલાબી ઈયળના નર ફૂદાંને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ મોજણી અને નિગાહ અર્થે હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવવા. જ્યારે ફૂદા ટ્રેપમાં પકડાવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks