aries agro

પરંપરાગત શિક્ષકો વગર ચાલતી શાળાનો સમય હવે આવી ગયો છે. મેસેચ્યુસેટ્સના બોસ્ટન સ્થિત આલ્ફા સ્કૂલમાં આપનું સ્વાગત છે, જે આ જ શૈક્ષણિક સત્રથી શરૂ થવા જઈ રહી છે. ‘આલ્ફા’ નામ જાણ જોઈનેને પસંદ કરવામાં આવ્યું છે, જેથી તે સ્કૂલના મુખ્ય વિદ્યાર્થી વર્ગને દર્શાવે, જે 2010 થી 2024 વચ્ચે જન્મેલી ‘જનરેશન આલ્ફા’નો ભાગ છે. પ્રથમવાર સ્કૂલમાં પ્રવેશી રહેલા આ બાળકોને ઇતિહાસની સૌથી ડિજિટલ રીતે કુશળ પેઢી માનવામાં આવે છે. તેમના પછી આવશે ‘જનરેશન-બીટા’ (2025-2039 વચ્ચે જન્મેલા), જેમને એવી દુનિયામાં જીવવાનું માનવામાં આવે છે જ્યાં એઆઈ રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો હશે.

જો તમે વિચારી રહ્યા હો કે આવી સ્કૂલમાં સામાન્ય દિવસ કેવો હોય છે, તો પેન્સિલ છોલવી, રબર ખોવાઈ જવાની કે શિક્ષકની વાત સાંભળવાની ચિંતા છોડો. અહીં દરેક વિદ્યાર્થી પાસે પોતાનું લેપટોપ છે, જેમાં ડેડિકેટેડ એઆઈ ટ્યુટર હોય છે. અભ્યાસ દરેક વિદ્યાર્થીની પોતાની ગતિ અને સ્તર મુજબ થાય છે, જ્યાં પરંપરાગત શિક્ષકના બદલે ‘ગાઇડ્સ’ હોય છે. આ ગાઇડ્સ શીખવાડવા કરતા વિદ્યાર્થીઓની પ્રગતિ પર નજર રાખે છે. બોસ્ટનના કેમ્બ્રિજ સ્ટ્રીટ પર સ્કૂલની પ્રથમ બ્રાન્ચ કિન્ડરગાર્ટનથી 8મા સુધીના 25 વિદ્યાર્થીના નાના જૂથથી શરૂ થશે. આવતા વર્ષે ક્ષમતા 50 સુધી વધારવાની યોજના છે. ફી વર્ષદીઠ 55,000 ડૉલર રહેશે.
બોસ્ટન સ્કૂલ સમિતિએ હજી આ પ્રસ્તાવને સત્તાવાર મંજૂરી આપી નથી અને પ્રશ્નો ઉઠાવ્યા છે કે શું આ મોડલ સામાન્ય વિદ્યાર્થીઓની જરૂરિયાતોને અસરકારક રીતે પૂરી કરી શકે છે કે નહીં. જોકે ઘણા લોકોનું માનવું છે કે અંતે સમિતિ મંજૂરી આપી દેશે, કારણ કે આ કાર્યક્રમને ટ્રમ્પ વહીવટી તંત્રનું મજબૂત સમર્થન છે.

બાળકોને આ શિક્ષક-રહિત સ્કૂલમાં દાખલ કરવા ઇચ્છતા માતા-પિતાનું કહેવું છે કે ‘આલ્ફા મોડલ’માં બાળકો પરંપરાગત સંસ્થાઓની સરખામણીમાં ઘણી ઝડપથી અભ્યાસ પૂર્ણ કરી શકે છે. તેઓ આ સિસ્ટમને સેલ્ફ-પેસ્ડ કહે છે, જે બાળકોને તેમના બુદ્ધિ સ્તર અનુસાર શીખવે છે. આ પદ્ધતિ બાળકોને અન્ય વિદ્યાર્થીઓ સાથે નહીં પરંતુ પોતાની જ અગાઉની શ્રેષ્ઠ કામગીરી સાથે સ્પર્ધા કરવા પ્રેરિત કરે છે. સમર્થકોનો દાવો છે કે આથી ‘સેલ્ફ-ડાયરેક્શન’ અને ‘રેઝિલિયન્સ’ જેવા જીવન કૌશલ્યો વિકસે છે.

આ નવા માળખામાં ‘શિક્ષક’ એટલે એઆઈ, જેને દરેક વિદ્યાર્થીની જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ કરવામાં આવ્યું છે. આ વિચાર એ પરંપરાગત માન્યતાને પડકાર આપે છે કે શીખવા માટે માનવીય શિક્ષક જરૂરી છે. તેના બદલે વિચાર એ છે કે બાળકો પોતાની શિક્ષણયાત્રાના પ્રોત્સાહક નેતા બની શકે છે. વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન માટે વિશેષ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે, જ્યારે રૂમમાં રહેલા ગાઇડ્સ માટે પરંપરાગત શૈક્ષણિક લાયકાત જરૂરી નથી. આ અનોખી પદ્ધતિ છતાં, સ્કૂલ રાજ્યના કરિકુલમ ફ્રેમવર્કનું પાલન કરે છે અને જરૂર પડે તો વ્યક્તિગત જરૂરિયાત માટે રીડિંગ સ્પેશિયાલિસ્ટ જેવા સ્ટાફ પણ નિયુક્ત કરે છે.

આશરે આ વ્યવસ્થાનો સૌથી વિશેષ પાસું એ છે કે એઆઈ દરેક બાળકને વ્યક્તિગત રીતે પડકાર આપે છે. હવે આખા વર્ગ કક્ષાએ એક સાથે એક જ અસાઈનમેન્ટ કરવાનું નથી. કે કોણ પહેલા પૂરું કરે તેની હોડ નથી. તેના બદલે સોફ્ટવેર દરેક વિદ્યાર્થી મુજબ પોતાને ઢાળે છે. જોકે કેટલાક માતા-પિતા સ્ક્રીન ટાઇમ વધવા અંગે ચિંતા વ્યક્ત કરે છે, પરંતુ ઘણીવાર તેઓ બિનઉદ્દેશ્યપૂર્ણ સોશિયલ મીડિયા ઉપયોગ અને નિયંત્રિત શૈક્ષણિક કામ વચ્ચેનો તફાવત સમજીને સંતોષ પામે છે. સ્કૂલનું કહેવું છે કે એઆઈની મદદથી વિદ્યાર્થીઓ દિવસનું સમગ્ર શૈક્ષણિક કામ માત્ર 2 કલાકમાં પૂર્ણ કરી શકે છે, જેથી દિવસનો મોટો ભાગ શારીરિક શિક્ષણ અને અન્ય સહ-પાઠ્ય પ્રવૃત્તિઓ માટે બચી રહે છે. દીર્ઘકાલીન અસર અંગે પ્રશ્નો હોવા છતાં, હાલ એટલું સ્પષ્ટ છે કે સ્કૂલી શિક્ષણનો નવો યુગ શરૂ થઈ ગયો છે.

ફંડા એ છે કે, આપણને એવી જિંદગી માટે તૈયાર થવું પડશે, જ્યાં ટેક્નોલોજી માનવીય અનુભવમાં મોટી ભૂમિકા ભજવશે. જેમ જેમ પરંપરાગત માળખું બદલાઈ રહ્યું છે, તેમ લાગે છે કે પરિવારમાં શિક્ષણ એ પ્રથમ મહત્ત્વપૂર્ણ સ્તંભ છે, જે સંપૂર્ણ રીતે બદલાવાની દિશામાં છે.

સાભાર : દિવ્યભાસ્કર,
એન. રઘુરામન.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

વધુ વરસાદ પછી સુકારાની અસર પામેલ છોડની ફરતે શું માવજત આપવી જોઈએ ?

વધુ વરસાદ પછી સુકારાની અસર પામેલ છોડની ફરતે ૩% પોટેશિયમ નાઈટ્રેટ અથવા 1 % યુરીયાના દ્રાવણ રેડવુ આ માવજત ખેતરમાં સુકારાની શરૂઆતના ૧૨ કલાકમાં જ કરવી. ૨% ડીએપી + ૧% KCl (પોટાશ

વધુ વાંચો....

કંપની ન્યુઝ : બીજનું મહત્વ – સફળ ખેતીનો મજબૂત પાયો નિધી દિવેલા બીજ

ખેતીમાં જમીન, પાણી, ખાતર અને ખેડૂતની મહેનત જેટલું જ મહત્વ ગુણવત્તાયુક્ત બીજનું છે. ઉત્તમ બીજ માત્ર સારો ઉગાવો જ આપતું નથી, પરંતુ પાકને મજબૂત બનાવે છે, રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે

વધુ વાંચો....

કૃષિ વિજ્ઞાન મરચીની ખેતી પાળા, મ્લચીંગ અને ડ્રિપ આધારિત કરવાનો આગ્રહ શા માટે રાખે છે ?

પાકમાં પાણીના ભરાવા થી અથવા ભૂલથી લોંઠું પિયત આપવાથી છોડમાં ઓક્સિજનનો તણાવ ઉત્પન્ન થાય છે, જે સુકારા (વિલ્ટ) લાવે છે. આજનું કૃષિ વિજ્ઞાન કહે છે કે સપાટ ક્યારાને બદલે રેઈઝ બેડ એટલે

વધુ વાંચો....

બાયોચાર એટલે શું ?

બાયોચાર = બાયો (એટલે કે જૈવિક) + ચાર (એટલે કે કોલસો) બાયોચાર (જૈવકોલ / જૈવિક કોલસો) એ બાયોમાસ (કૃષિ અવશેષો) ના કાર્બોનાઇઝેશનમાંથી મેળવવામાં આવેલ ઘન પદાર્થ છે. બાયોચારની પરમાણુ રચનાને કારણે, તે

વધુ વાંચો....

પાકમાં પાણી ભરાઈ રહેવાથી છોડ ઉપર શું અસર થાય છે.

આજે એક વાચક મિત્રનો જવાબ . જે વિસ્તારમાં વરસાદ વધુ પડે ત્યાં સપાટ ક્યારા હોય તો તે જમીન પર ઉગાડેલ પાકમાં પાણી ભરાઈ રહેવાથી છોડની દેહધાર્મિક ક્રિયાઓ અટકવાથી વૃદ્ધિ અને વિકાસ પર

વધુ વાંચો....

તમારી જમીનના રોગકારક હાજર છે પણ કેવી પરિસ્થિતિ મળશે ત્યારે તે પોતાની અસર દેખાડશે.?

સમજીયે, તમારી જમીનના રોગકારક હાજર છે, વાતાવરણ અનુકૂળ છે અને રોગકારકને આશ્રય આપનાર કે ફેલાવનાર હાજર છે ત્યારે રોગ સરળતાથી પ્રવેશ કરે છે અને તેનું નિયંત્રણ સમયસર કરવામાં ના આવે તો પાકને

વધુ વાંચો....

ખેતીમાં જો અસરકારક રોગ વ્યવસ્થાપન કરવું હોય તો કઈ ત્રણ બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે.

આપણી ખેતીમાં આપણે જો અસરકારક રોગ વ્યવસ્થાપન કરવું હોય તો આ ત્રણ બાબતોનો યજમાન (HOST): મજબૂત આનુવંશિકતા (Genetics) અને રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતી જાતો વાવવી બીજું રોગકારક (PATHOGEN): ખેતરમાં રોગકારક જીવોના વર્તન

વધુ વાંચો....

ડિસીઝ ટ્રાયંગલ (રોગ ત્રિકોણ) ની મદદથી તમારા પાકને કેવી રીતે સુરક્ષિત રાખવો

આપણી મદદ માટે કૃષિ વૈજ્ઞાનિકોએ સમજાવેલ રોગ ત્રિકોણ વિષે સમજીયે . શું છે આ રોગ ત્રિકોણ? છોડમાં થતા રોગો ભાગ્યે જ કોઈ એક સિંગલ કારણનું પરિણામ હોય છે. આપણા ખેતરમાં રોગ ત્યારે

વધુ વાંચો....

કયો રંગ કઈ જીવાતને આકર્ષે છે ? તે જાણો.

વિવિધ રંગોના સ્ટિકી ટ્રેપ કઈ જીવાતને આકર્ષે છે તે જોઈએ તો પીળી સ્ટિકી ટ્રેપ (Yellow Sticky Trap) સફેદમાખી , મોલો-મશી , પાન કોરીયું , નાની માખી , પાંખોવાળી મોલોને આકર્ષે છે અને

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks