aries agro

બીજી અને ખૂબ જ અગત્યની નવી ટેકનીક છે છોડને ટેકો આપવાની જેને સ્ટેકીંગ કહે છે આમાં છોડને સહારો આપવામાં આવે છે જેનો ખૂબ મોટો ફાયદો થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ટેકા આપવાથી મરચીની ખેતીમાં 20 થી 25% નો ફાયદો મળે છે સ્ટેકીંગ એટલે કે ટેકો આપવામાં થતો ખર્ચ એક જ સિઝનમાં વળતર મળી જાય છે

| સ્ટેકીંગ – ટેકો આપવાથી ફાયદો

  • ઝાપટ વાળા પવન સાથેના વધુ વરસાદ વખતે છોડ નમી પડતા નથી કે હલી હલીને જમીનમાં કોન આકારનો ખાડા પડતા નથી તેથી ફાઈટોપ્થોરા નામના રોગ આવવાની શક્યતા ઘટી જાય છે
  • છોડ બાંધવાથી ડાળી, પાંદડા અને ફળો જમીનને અડકતા નથી એટલે છોડ ઘણા ફૂગના રોગોથી બચે છે
  • ટેકો આપવાથી વધુ ઉપજ આપતી જાતોમાં ખૂબ ફાલ લાગવા છતાં ડાળી ભાંગતી નથી
  • ટેકો આપવાથી હાર થી હાર વચ્ચે જગ્યા રહેતા ખેતી કાર્યોમાં સરળતા રહે છે અને રોગ જીવાતનું નિયંત્રણ કરવામાં મદદ મળે છે
  • ટેકો આપવાથી છોડ ટટ્ટાર રહેતા ફાલ, ફુલ વધે છે અને ફળની ગુણવત્તા સારી મળે છે વીણાટમાં ખુબ સરળતા રહે છે
  • ટેકો આપવાથી છોડને પૂરતો સૂર્યપ્રકાશ મળતા છોડમાં રોગ ઓછા લાગે છે

| ટેકો આપવાની પદ્ધતિ

ટેકો આપવો એટલે આપણને ખબર છે કે ટમેટા જેવા પાકોમાં ટેલીફોન પદ્ધતિમાં દરેક હારમાં નિશ્ચિત અંતરે લાકડા ખોડીને અને આ લાકડા સાથે તાર બાંધવામાં આવે છે ઘણીવાર અલગ અલગ ઊંચાઈએ બે તાર બાંધીને તાણીયા ખેંચીને તે તાર ઉપર છોડને દોરી – સુતળી કે કપડાં દ્વારા બાંધવામાં આવે છે. આ પદ્ધતિને ટેલીફોન પદ્ધતિ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેને સ્ટેકીંગ કહેવાય છે. આપણે તેને મરચાના છોડને ટેકો આપવાની પદ્ધતિ કહીશું. આ માટે મરચાની હારમાં ચારથી છ ફૂટ ઊંચી મજબૂત વાંસ કે લાકડી જોઈએ. તેને 10 થી 15 અંતરે જમીનમાં ખોડવામાં આવે છે. ખોડતી વખતે લાકડાની (છ થી ૧૨ ઇંચ) નીચેના ભાગને બળેલા ઓઇલમાં બોળીને જમીનમાં ખોડવા જોઈએ. અંદાજે એક એકરમાં ૮૦૦ થી ૯૦૦ વાંસ જોઈએ. લાકડા કે વાંસ સાથે બાંધવા માટે 30 થી 40 કિલોગ્રામ તાર જોઈએ છે પહેલો તાર જમીનથી એક ફૂટ અને બીજો તાર જમીનથી દોઢથી બે ફૂટની ઊંચાઈએ બાંધીને બંને તરફ તાણીયાથી ટાઇટ કરી એકદમ ટાઈટ બાંધવા જોઈએ.

મરચીના છોડનો જેમ જેમ વિકાસ થાય તેમ તેમ તેની ડાળીને આ તાર સાથે કપડાના લીરા, સુતળી, દોરીથી બાંધતા રહેવું જોઈએ. છોડને આ રીતે બાંધતા રહેવાથી ઝાપટ વાળો વરસાદ કે પવનના ઝટકાથી છોડ મૂળમાંથી હલી જતા નથી અને ઘણી વખત છોડ હલી હલીને જમીન અને છોડ વચ્ચે કોન આકારનો ખાડો પડી જતો હોય છે અને વરસાદનું પાણી આ કોનમાં ભરાતા ત્યાંથી ફૂગના રોગો લાગી જતા હોય છે જ્યાં એસિડિક જમીન હોય અથવા ચીકણી માટી હોય ત્યાં આવું થવાથી ફાઈટોપ્થોરા સુકારો લાગતો હોય છે.

ટેકો આપો, વધુ ઉત્પાદન મેળવો.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

મરચીમાં એન્થ્રેકનોઝ ના ફેલાય તેના માટેના શું પગલા લેવા ?

મરચીમાં એન્થ્રેકનોઝ (Anthracnose) અથવા પરિપક્વ ફળનો સડો (Fruit Rot/Die-back) એ ફૂગથી થતો બહુ મોટો રોગ છે. આ રોગ ક્યારે ફેલાય છે અને તેને કાબૂમાં લેવા માટે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ ?

વધુ વાંચો....

બીજ મંત્ર : આપણી દુનિયા શિક્ષકો વિનાની સ્કૂલોમાં પ્રવેશ કરી રહી છે.

પરંપરાગત શિક્ષકો વગર ચાલતી શાળાનો સમય હવે આવી ગયો છે. મેસેચ્યુસેટ્સના બોસ્ટન સ્થિત આલ્ફા સ્કૂલમાં આપનું સ્વાગત છે, જે આ જ શૈક્ષણિક સત્રથી શરૂ થવા જઈ રહી છે. ‘આલ્ફા’ નામ જાણ જોઈનેને

વધુ વાંચો....

વધુ વરસાદ પછી સુકારાની અસર પામેલ છોડની ફરતે શું માવજત આપવી જોઈએ ?

વધુ વરસાદ પછી સુકારાની અસર પામેલ છોડની ફરતે ૩% પોટેશિયમ નાઈટ્રેટ અથવા 1 % યુરીયાના દ્રાવણ રેડવુ આ માવજત ખેતરમાં સુકારાની શરૂઆતના ૧૨ કલાકમાં જ કરવી. ૨% ડીએપી + ૧% KCl (પોટાશ

વધુ વાંચો....

કંપની ન્યુઝ : બીજનું મહત્વ – સફળ ખેતીનો મજબૂત પાયો નિધી દિવેલા બીજ

ખેતીમાં જમીન, પાણી, ખાતર અને ખેડૂતની મહેનત જેટલું જ મહત્વ ગુણવત્તાયુક્ત બીજનું છે. ઉત્તમ બીજ માત્ર સારો ઉગાવો જ આપતું નથી, પરંતુ પાકને મજબૂત બનાવે છે, રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે

વધુ વાંચો....

કૃષિ વિજ્ઞાન મરચીની ખેતી પાળા, મ્લચીંગ અને ડ્રિપ આધારિત કરવાનો આગ્રહ શા માટે રાખે છે ?

પાકમાં પાણીના ભરાવા થી અથવા ભૂલથી લોંઠું પિયત આપવાથી છોડમાં ઓક્સિજનનો તણાવ ઉત્પન્ન થાય છે, જે સુકારા (વિલ્ટ) લાવે છે. આજનું કૃષિ વિજ્ઞાન કહે છે કે સપાટ ક્યારાને બદલે રેઈઝ બેડ એટલે

વધુ વાંચો....

બાયોચાર એટલે શું ?

બાયોચાર = બાયો (એટલે કે જૈવિક) + ચાર (એટલે કે કોલસો) બાયોચાર (જૈવકોલ / જૈવિક કોલસો) એ બાયોમાસ (કૃષિ અવશેષો) ના કાર્બોનાઇઝેશનમાંથી મેળવવામાં આવેલ ઘન પદાર્થ છે. બાયોચારની પરમાણુ રચનાને કારણે, તે

વધુ વાંચો....

પાકમાં પાણી ભરાઈ રહેવાથી છોડ ઉપર શું અસર થાય છે.

આજે એક વાચક મિત્રનો જવાબ . જે વિસ્તારમાં વરસાદ વધુ પડે ત્યાં સપાટ ક્યારા હોય તો તે જમીન પર ઉગાડેલ પાકમાં પાણી ભરાઈ રહેવાથી છોડની દેહધાર્મિક ક્રિયાઓ અટકવાથી વૃદ્ધિ અને વિકાસ પર

વધુ વાંચો....

તમારી જમીનના રોગકારક હાજર છે પણ કેવી પરિસ્થિતિ મળશે ત્યારે તે પોતાની અસર દેખાડશે.?

સમજીયે, તમારી જમીનના રોગકારક હાજર છે, વાતાવરણ અનુકૂળ છે અને રોગકારકને આશ્રય આપનાર કે ફેલાવનાર હાજર છે ત્યારે રોગ સરળતાથી પ્રવેશ કરે છે અને તેનું નિયંત્રણ સમયસર કરવામાં ના આવે તો પાકને

વધુ વાંચો....

ખેતીમાં જો અસરકારક રોગ વ્યવસ્થાપન કરવું હોય તો કઈ ત્રણ બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે.

આપણી ખેતીમાં આપણે જો અસરકારક રોગ વ્યવસ્થાપન કરવું હોય તો આ ત્રણ બાબતોનો યજમાન (HOST): મજબૂત આનુવંશિકતા (Genetics) અને રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતી જાતો વાવવી બીજું રોગકારક (PATHOGEN): ખેતરમાં રોગકારક જીવોના વર્તન

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks