બીજી અને ખૂબ જ અગત્યની નવી ટેકનીક છે છોડને ટેકો આપવાની જેને સ્ટેકીંગ કહે છે આમાં છોડને સહારો આપવામાં આવે છે જેનો ખૂબ મોટો ફાયદો થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ટેકા આપવાથી મરચીની ખેતીમાં 20 થી 25% નો ફાયદો મળે છે સ્ટેકીંગ એટલે કે ટેકો આપવામાં થતો ખર્ચ એક જ સિઝનમાં વળતર મળી જાય છે

| સ્ટેકીંગ – ટેકો આપવાથી ફાયદો
- ઝાપટ વાળા પવન સાથેના વધુ વરસાદ વખતે છોડ નમી પડતા નથી કે હલી હલીને જમીનમાં કોન આકારનો ખાડા પડતા નથી તેથી ફાઈટોપ્થોરા નામના રોગ આવવાની શક્યતા ઘટી જાય છે
- છોડ બાંધવાથી ડાળી, પાંદડા અને ફળો જમીનને અડકતા નથી એટલે છોડ ઘણા ફૂગના રોગોથી બચે છે
- ટેકો આપવાથી વધુ ઉપજ આપતી જાતોમાં ખૂબ ફાલ લાગવા છતાં ડાળી ભાંગતી નથી
- ટેકો આપવાથી હાર થી હાર વચ્ચે જગ્યા રહેતા ખેતી કાર્યોમાં સરળતા રહે છે અને રોગ જીવાતનું નિયંત્રણ કરવામાં મદદ મળે છે
- ટેકો આપવાથી છોડ ટટ્ટાર રહેતા ફાલ, ફુલ વધે છે અને ફળની ગુણવત્તા સારી મળે છે વીણાટમાં ખુબ સરળતા રહે છે
- ટેકો આપવાથી છોડને પૂરતો સૂર્યપ્રકાશ મળતા છોડમાં રોગ ઓછા લાગે છે
| ટેકો આપવાની પદ્ધતિ
ટેકો આપવો એટલે આપણને ખબર છે કે ટમેટા જેવા પાકોમાં ટેલીફોન પદ્ધતિમાં દરેક હારમાં નિશ્ચિત અંતરે લાકડા ખોડીને અને આ લાકડા સાથે તાર બાંધવામાં આવે છે ઘણીવાર અલગ અલગ ઊંચાઈએ બે તાર બાંધીને તાણીયા ખેંચીને તે તાર ઉપર છોડને દોરી – સુતળી કે કપડાં દ્વારા બાંધવામાં આવે છે. આ પદ્ધતિને ટેલીફોન પદ્ધતિ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેને સ્ટેકીંગ કહેવાય છે. આપણે તેને મરચાના છોડને ટેકો આપવાની પદ્ધતિ કહીશું. આ માટે મરચાની હારમાં ચારથી છ ફૂટ ઊંચી મજબૂત વાંસ કે લાકડી જોઈએ. તેને 10 થી 15 અંતરે જમીનમાં ખોડવામાં આવે છે. ખોડતી વખતે લાકડાની (છ થી ૧૨ ઇંચ) નીચેના ભાગને બળેલા ઓઇલમાં બોળીને જમીનમાં ખોડવા જોઈએ. અંદાજે એક એકરમાં ૮૦૦ થી ૯૦૦ વાંસ જોઈએ. લાકડા કે વાંસ સાથે બાંધવા માટે 30 થી 40 કિલોગ્રામ તાર જોઈએ છે પહેલો તાર જમીનથી એક ફૂટ અને બીજો તાર જમીનથી દોઢથી બે ફૂટની ઊંચાઈએ બાંધીને બંને તરફ તાણીયાથી ટાઇટ કરી એકદમ ટાઈટ બાંધવા જોઈએ.
મરચીના છોડનો જેમ જેમ વિકાસ થાય તેમ તેમ તેની ડાળીને આ તાર સાથે કપડાના લીરા, સુતળી, દોરીથી બાંધતા રહેવું જોઈએ. છોડને આ રીતે બાંધતા રહેવાથી ઝાપટ વાળો વરસાદ કે પવનના ઝટકાથી છોડ મૂળમાંથી હલી જતા નથી અને ઘણી વખત છોડ હલી હલીને જમીન અને છોડ વચ્ચે કોન આકારનો ખાડો પડી જતો હોય છે અને વરસાદનું પાણી આ કોનમાં ભરાતા ત્યાંથી ફૂગના રોગો લાગી જતા હોય છે જ્યાં એસિડિક જમીન હોય અથવા ચીકણી માટી હોય ત્યાં આવું થવાથી ફાઈટોપ્થોરા સુકારો લાગતો હોય છે.
ટેકો આપો, વધુ ઉત્પાદન મેળવો.

















