(૧) રેમ્યુલેરીયા ફૂગથી થતી ચરમી
લક્ષણો : આ ફૂગની શરૂઆત છોડની નીચેના
ભાગેથી શરૂ થઈ ઉપરના તરફ આગળ વધતી જોવા મળે છે. આ રોગ સર્વ પ્રથમ પાન, ડાળીઓ અને ચકકરની દાંડી જેવા કુમળા ભાગમાં તથા દાણા ઉપર છીંકણી રંગના નાના આકારના રૂપમાં જોવા મળે છે. રોગની તીવ્ર અસર વાળા છોડના થડ, ડાળી, ચકકરની પાંખડીઓ વગેરે ભાગો સફેદ અથવા રાખોડી રંગના થઈ ગયેલા જોવા મળે છે.
(૨) અલ્ટરનેરીયા ફૂગથી થતી ચરમી
લક્ષણો : રોગની શરૂઆત થતાં કુલ અને કુમળા
પાન સુકાઈ જઈ ખરી પડે છે. અસર પામેલા છોડના પુષ્પ ગુચ્છમાં દાણા બેસતા નથી. જેથી ઉત્પાદન ઉપર સીધી અસર થતા ઘટાડો થવા પામે છે. રેમ્યુલેરીયા ફૂગથી થતા સુકારાના રોગ કરતાં આ રોગ વધુ પ્રમાણમાં નુકસાન કરે છે.
નિયંત્રણ
(૧) વાવણી માટે રોગમુક્ત બીજની પસંદગી કરવી.
(2) બિયારણને વાવતાં પહેલાં થાયરમ દવાનો બે થી ત્રણ ગ્રામ પ્રતિ એક કિલો બીજ પ્રમાણે પટ આપીને જ વાવવા.
(૩) કાર્બેન્ડાન્ઝીમ ૧૨% મેન્કોઝેબ ૬૩% 0.2% મિશ્ર દવા (૨૭ ગ્રા./૧૦ લીટર) અથવા કાર્બેન્ડાન્ઝીમ ૦.૦૫% (૧૦ ગ્રા/૧૦ લીટર) પ્રમાણે દસ દિવસના અંતરે કુલ ત્રણ છંટકાવ આપવા. દવાનું દ્રાવણ છોડ ઉપર ઘુમ્મસ સ્વરૂપે છાટવું.
રોગોની શરૂઆત થયેથી ક્લોરોથેલો દવા ૦.૨% (૨૦ ગ્રામ/૧૦ લીટર) સાથે ૨૦ મિલી તૈલી સાબુનું સંતૃપ્ત દ્રાવણ ૧૦ લીટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.
(૪) પાકનું વાવતેર શક્ય બને ત્યાં સુધી પૂર્વ પશ્ચિમ કરવું અને નીચેના પીળા પાન સમયાંતરે તોડી વીણી લેવા અને નાશ કરવો.
(૫) વાદળછાયા વાતાવરણમાં વરીયાળીને પિયત આપવાનું ટાળવું.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

વરિયાળીમાં બીજ-માવજત અને બીજનો દર

બીજને ૬ થી ૮ કલાક પાણીમાં પલાળીને છાંયડામાં સૂકવી કોરા કરી વાવણી કરવી. સૌપ્રથમ બિયારણને ફૂગનાશક દવા થાયરમ ૩ ગ્રામ પ્રતિ કિલો મુજબબીજ માવજત આપવી. ત્યારબાદ એઝોટોબેક્ટર અથવા એઝોસ્પાયરીલમ કલ્ચરનો પટ આપવો.બીજનો

વધુ વાંચો....

વરિયાળીનો રોગ : સાકરીયો (મધિયો)

લક્ષણો : સાકરીયો એ કોઈ રોગ નથી પરંતુ છોડનીદેહધાર્મિક વિકૃતિ છે. ફૂલમાંથી મધ જેવું પ્રવાહી નીકળે છે કે જેના લીધે ફ્લીનીકરણ અને બીજ બંધારણમાં અસર પડે છે. આવી વિકૃતિ ખૂબજ ફળદ્રુપ જમીનમાં

વધુ વાંચો....

વરિયાળીમાં પિયત, આંતરખેડ અને નિંદામણ

પિયત દાણા બેસવાના સમયે અચૂક આપવું. પ્રથમ પિયત વાવણી બાદ તુરત જ અને બીજું પિયત ૮ થી ૧૦ દિવસે સારા અને એક સરખા ઉગાવા માટે આપવું જોઈએ. ત્યારબાદ પછીત્રીજું પિયત વાવણી પછી

વધુ વાંચો....

ફાર્મ ઈનપુટ : ચીકણા પિંજર – સ્ટીકી ટ્રેપની ઉપયોગિતા

ડો.બી.જી.પ્રજાપતિ, નિવૃત્ત કિટકશાસ્ત્રી,૨૩, સૌન્દર્ય પેલેસ, અવસર પાર્ટી પ્લોટની પાછળ, મોઢેરા રોડ, મહેસાણા – ૩૮૪૦૦૨, મોબાઈલ : ૯૪૨૭૩ ૭૫૦૯૩ ચીકણા પિંજર (સ્ટીકી ટ્રેપ) શું છે ? ચીકણા પિંજર (સ્ટીકી ટ્રેપ) એ એક કલર્ડ

વધુ વાંચો....

બાયોચાર કેવી રીતે અસરકારક બને છે

બાયોચાર – 1 જ્યારે પવન હળવો હોય ત્યારે યોગ્ય હવામાન પરિસ્થિતિઓ હેઠળ બાયોચાર લાગુ કરો. હળવા વરસાદની સ્થિતિમાં બાયોચાર લાગુ કરવું પણ મદદરૂપ થઈ શકે છે જ્યાં હળવા વરસાદથી બાયોચારની ધૂળ ભીની

વધુ વાંચો....

આધુનિક નિંદામણનાશકો

આધુનિક ખેતીમાં ખેડૂતો નીંદણનાશક રસાયણો વાપરતા થયા છે. ભાલમણ ન હોય અને વાપરવામાં આવે તો પાક પર તેની વિપરીત અસર થવાની સંભાવના રહે છે. જેમ કે ઘઉંના પાકમાં કલોડીનાફોટા પ્રોપારજીલ વાપરવાની ભલામણ

વધુ વાંચો....

ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસમાં પરાગનયન કેવી રીતે કરવું?

આપણ ને ખબર છે કે ટામેટાનાં ફૂલોમાં દરેક ફૂલની અંદર નર અને માદા બંને ભાગ હોય છે.. ખુલા ખેતર ની જતી અલગ હોય છે , ખુલા ખેતરમાં પવન , મધમાખી વગેરે ફલીની

વધુ વાંચો....

વાલોળ માટે ખાતરની જરૂરિયાત

આ પાકનો જીવનકાળ લાંબો હોવાથી હેક્ટરે ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આપવું. આ પાક કઠોળ વર્ગનો પાક હોવાથી નાઈટ્રોજનયુકત ખાતરની ખાસ જરૂરિયાત રહેતી નથી. આમ છતાં રાસાયણિક ખાતરોમાં પ્રતિ

વધુ વાંચો....

ગુજરાતનો પ્રખ્યાત એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

આ મહિનાની એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં વિદેશની કંપનીના સ્ટોલ, કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ

વધુ વાંચો....

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો

વધુ વાંચો....

બાયોચારનો વપરાશ દર

કોઈપણ જમીન સુધારણાની ભલામણ માટીના પરીક્ષણ, જમીનના પ્રકારો અને પાકો પર આધાર રાખતો હોય છે. તેવી જ રીતે બાયોમાસ પણ અલગ અલગ ઇનપુટ બાયોમાસ સામગ્રીઓ અને તેમની લાક્ષણિકતાઓ પર આધારિત છે, આમ

વધુ વાંચો....

આંતરરાષ્ટ્રીય કૃષિ મેળો એગ્રી એશિયા ૨૦૨૬ – ગાંધીનગર

ગાંધીનગર ખાતે ૧૧-૧૨-૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગરમાં એગ્રી એશિયા ૨૦૨૬ કૃષિ મેળો યોજાશે. આ મેળામાં વિદેશની અને ભારતની વિધ વિધ કંપનીઓ ભાગ લેશે, આ મેળામાં નર્સરી ગ્રાફ્ટેડ રોપ જોવા મળશે

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks