૪૦ વર્ષથી વધુ વયના મનુષ્યો માટે સાંધાનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે. સાંધાનો દુખાવો સ્થિતિસ્થાપક મસલ્સ કઠણ થઈ જવાથી અથવા ઘૂંટણના સાંધામાં યુરિક એસિડનો ભરાવો થવાથી થતો હોય છે. ઓરિસ્સાના ગ્રામજનો સરગવાના છોડનો ઉપયોગ સાંધાના દુખાવાના ઉપચાર તરીકે કરે છે. તેઓ કૂણી ડાળીઓ ઉપરથી પાંદડા તોડી તેના ઝીણા-ઝીણા ટુકડા કરે છે. સામાન્ય રીતે ૫૦ ગ્રામ પાંદડાંને ૫૦૦ મિલી પાણીમાં દ્રાવણ અડધું થાય ત્યાં સુધી ઉકાળી ઠારવામાં આવે છે. આ દ્રાવણ ૧૦૦ મિલી મુજબ રોજ પીવાથી સાંધાના દુખાવા માટે અસરકારક છે.

કોકડવામાં ઇંગોરિયાનું દ્રાવણ
ખેડૂતો પોતાની મેળે અવનવા બિનખર્ચાળ પ્રયોગો અવિરત કરતા હોય છે. તેમાંય શાકભાજીના પાકમાં રોગ-જીવાતનું આક્રમણ થાય ત્યારે ત્વરિત પગલાં લેવા પડતાં હોય છે. સાવરકુંડલા તાલુકાના વણોટ ગામના શ્રી નાગજીભાઈ બચુભાઈ રાઠોડએ ટેટી

















