ખેતી પ્રત્યે સમાજની ફરજ આ ખેડૂત સમાજ પ્રત્યેની આપણી ભાવના શું માત્ર ખેડૂતના એક પક્ષે જ હોવી જરૂરી છે ? બંને પક્ષે નહીં ? એ ભાવના ટકાવી રાખવા બાબતે આપણી-સમાજની કોઈ ફરજ ખરી કે નહીં ? ખેડૂતના દિલમાં આ ભાવના કાયમ તો જ ટકી રહે, જો આ વ્યવસાયમાંથી તેના કુટુંબને પેટપૂરણ અને માન સહિતનો રોટલો મળી રહેતો હોય ! એ વિચારવાનો સમય આવી ગયો છે કે આ બાબતે આપણે અન્ય લોકો ક્યાંક ફરજ બાબતે ઊણા ઊતર્યા તો નથી ને? આ વાત વાંચીને થાય છે કે ત્યારે કરશું શું ? ખેડૂતનું શહેર ભણીની દોટનું કારણ શું ? આવતી કાલે

ત્યારે કરશું શું ? ભાગ ૧૨ શહેરમાં દેખાતી સુવિધાઓ
નાનેથી મોટા સૌની દોટ આજે દોમ દોમ સાહ્યબી વાળી – આર્થિક સદ્ધરતા બાજુની રહી છે. શહેરમાં દેખાતી સુવિધાઓ, ગામડાંના ખેડૂતને ભોગવવાનું ક્યારેક મન થઈ આવે

























