
આધુનિક ખેતીમાં ખેડૂતો નીંદણનાશક રસાયણો વાપરતા થયા છે. ભાલમણ ન હોય અને વાપરવામાં આવે તો પાક પર તેની વિપરીત અસર થવાની સંભાવના રહે છે. જેમ કે ઘઉંના પાકમાં કલોડીનાફોટા પ્રોપારજીલ વાપરવાની ભલામણ છે. પરંતુ બાજરીના પાકમાં તેનો ઉપયોગ થઈ શકતો નથી. પ્રિ-ઈમરજન્સ પ્રકારના નીંદણનાશક રસાયણોના છંટકાવ વખતે જમીનમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે. જો પૂરતો ભેજ ન હોય તો નીંદણનાશકનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકતો નથી.





















