
કોઈપણ પ્રકારના ખેતીના કચરાને જ્યારે જમીન ઉપર પાથરવામાં આવે તેને આવરણ કહે છે. દા.ત. બાજરીના ઢુંસા, મગફ્ળીના ફોતરા, ઘઉંનું કુંવળ, ડાંગરનું પરાળ, નકામું ઘાસ, દિવેલાની ફોતરી, રાઈનું ભૂસું, શેરડીની પાતરી, લાકડાનો વેર, ઝાડના પાન વગેરે સેન્દ્રિય આવરણ તરીકે હેક્ટરે ૫ થી ૧૦ ટન સુધી પાથરી શકાય છે. પાકની બે હાર વચ્ચેની જમીનને સહેલાઈથી બિનઉપયોગી પાકના સેન્દ્રિય અવશેષો/કચરા દ્વારા આવરણ કરવામાં આવે છે. મલ્ડિંગ કરવાથી જમીનમાં ઉપલા પડમાં મૂળની વૃદ્ધિ સારી થાય છે, તેમજ અળસિયાની વૃદ્ધિમાં અનુકૂળતા થાય છે.
૧. ઊભા પાકમાં સેન્દ્રિય પદાર્થો કોહવાઈ જવાથી પોષકતત્ત્વો પૂરા પાડે છે તેમજ પાછળના પાકને પણ લાભ થાય છે.
૨. ચોમાસું ૠતુમાં આવરણ કરવાથી જમીનનું ધોવાણ અટકે છે, જમીનનો બાંધો જળવાઈ રહે છે. તેથી જમીનમાં પાણી શોષાવાનો દર વધે છે.
૩. જમીનમાંથી ભેજનું બાષ્પીભવન દ્વારા થતો ઘટાડો અટકાવે છે.
૪. શિયાળુ ૠતુમાં જમીનનું ઉષ્ણતામાન જાળવવામાં મદદ કરે છે. તેથી બીજનો ઉગાવો જલદી થાયછે.
5.નીંદણનો મહદઅંશે ઘટાડો જોવા મળે છે.






















