
ચૂસીયાંનો ઉપદ્રવ ઘટાડવા નાઈટ્રોજનયુકત રાસાયણિક ખાતરો ભલામણ મુજબ ત્રણ હપ્તામાં આપવા જાેઈએ. ચૂસીયાંનો ઉપદ્રવ જાેવા મળે કે તરત જ કયારીમાંથી પાણી નિતારી નાખવુ. પ્રકાશપીંજર અને ગાભમારાના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી વસ્તીનું નિયંત્રણ કરી શકાય. ફેરરોપણી પછી ૩૦-૩૫ દિવસે કાર્ટેપ હાઇડ્રોકલોરાઇડ ૪ જી (૨૦ કિ.ગ્રા.) અથવા કાર્બોફયૂરાન ૩ જી (૩૦ કિ.ગ્રા.) અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૪ જી (૧૦ કિ. ગ્રા.) અથવા ઇમિડાક્લોપ્રીડ ૦.૩ જી (૧૫ કિ. ગ્રા.) પ્રતિ હેક્ટર પ્રમાણે ખેતરમાં પાણી ઓછુ કર્યા બાદ બે વખત આપવાથી ચૂસીયાંનો ઉપદ્રવ કાબૂમાં રહે છે. ચૂસીયાં અને ગાભમારાની ઇયળના નિયંત્રણ માટે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ અથવા ક્લોથીયાનીડીન ૫૦ ડબલ્યૂજી 8 મિલિ અથવા ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઈસી 8 મિલિ અથવા એસીટામીપ્રીડ ૦.૪ ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી 25 મિલિ અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી 30 મિલિ અથવા ડાયનેટોફ્યૂરાન ૨૦ એસજી 6 ગ્રામ અથવા ફીપ્રોનીલ ૫ એસસી 30 મિલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી 4 ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૬ ટકા લેમડાસાયહેલોથ્રીન ૧૩ એસસી 10 મિલિ અથવા ફ્લૂબેન્ડિએમાઇડ ૩.૫% હેક્ઝાકોનાઝોલ ૫ ડબલ્યૂજી 30 ગ્રામ અથવા થાયાક્લોપ્રીડ ૨૧.૭ એસસી 15 મિલિ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.


























