૧. નીંદણનાશક દવા ખરીદતી વખતે તથા તેને વપરાશમાં લેતા પહેલાં દવાના પેકિંગ ઉપર છાપેલ ઉત્પાદન તથા તેની અવધિની વિગતો જેવી કે માસ અને વર્ષની ચોકસાઈપૂર્વક ખાતરી કરી લેવી. અવધિ – (એકસપાયરી ડેઈટ) પૂરી થયેલ દવા વાપરવી નહીં કે ખરીદવી નહીં.

૨. ભલામણ કરેલ નીંદણનાશક દવાનો જ જે તે પાકમાં ઉપયોગ કરવો.

૩. ભલામણ કરેલ સમયે જ નીંદણનાશક દવા છાંટવી.

૪. ઊભા પાકમાં પાકની વૃદ્ધિની જે અવસ્થાએ નીંદણનાશક દવા છાંટવાની ભલામણ કરેલ હોય તે જ અવસ્થાએ છંટકાવ કરવો.

5.પોસ્ટ-ઈમરજન્સ પદ્ધતિમાં નીંદણના છોડ – ઉપર વધુ પ્રમાણમાં નીંદણનાશક દવા પડે તે રીતે છંટકાવ કરવો.

૬. એકસરખા છંટકાવ માટે ભલામણ કરેલ પાણીના જથ્થાનો ઉપયોગ કરવો.

૭. ભલામણ કરેલ હોય તો જ બે નીંદણનાશક દવા મિશ્ર કરીને છંટકાવ કરવો.

૮. નીંદણનાશક દવાને જંતુનાશક દવા સાથે મિશ્ર કરીને કયારેક છંટકાવ કરવો નહી.

૯. વધુ પડતો કે તોફાની પવન હોય ત્યારે છંટકાવ કરવો નહી.

૧૦. સામાન્ય પવન હોય ત્યારે પંપની નોઝલ જમીનની નજીક રહે તે રીતે છંટકાવ કરવો.

૧૧. ચાલુ વરસાદે નીંદણનાશક દવાનો છંટકાવ કરવો નહી.

૧૨. પ્રિ-ઈમરજન્સ પદ્ધતિમાં છંટકાવ કરતી વખતે જમીનમાં પૂરતો ભેજ હોવો જોઇએ.

૧૩. એક સરખા છંટકાવ માટે ફ્લેટફેન નોઝલનો ઉપયોગ કરવો.

૧૪. જંતુનાશક દવા છાંટવા માટેની નોઝલનો ઉપયોગ કરવો નહી.

૧૫. પાછા પગે ચાલીને જ નીંદણનાશક દવાનો છંટકાવ કરવો એટલે કે દવા છાંટેલા ભાગ પર ચાલવું નહી.

૧૬. શરીરના કોઈ પણ ભાગ ઉપર ઈજા થયેલ હોય તેવી વ્યક્તિઓએ દવાનો છંટકાવ કરવો નહીં.

૧૭. નીંદણનાશક દવા છાંટનારે હાથમોજાં, એપ્રોન, બુટ વગેરેનો ઉપયોગ કરવો.

૧૮. નીંદણનાશક દવા છાંટતા પહેલા અને છંટકાવ બાદ દવા છાંટવાનો પંપ, નોઝલ તેમજ પંપની નળી જેવા ભાગોને બે થી ત્રણ વખત ચોખ્ખા પાણીથી બરાબર સાફ કરવા. શકય હોયતો સાબુના દ્રાવણથી સાફ કરી ચોખ્ખા પાણીથી પંપના તમામ ભાગો સાફ કરવા

૧૯. નીંદણનાશક દવાના છંટકાવ દરમ્યાન બીડી તમાકુનો ઉપયોગ કરવો નહીં.

૨૦. દવા છંટકાવ બાદ હાથ-પગ સાબુ વડે ઘોઈ બરાબર સાફ કરવા.

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

આબોહવાના બદલાવની કૃષિ પાકો ઉપર થતી અસરો

આબોહવાના બદલાવની કૃષિ પાકો ઉપર થતી અસરો • પૃથ્વીના વાતાવરણમાં અંગારવાયુનું (co2) પ્રમાણ વધવાને કારણે ઘઉં અને ડાંગર જેવા પાકોમાં વૃદ્ઘિ અને વિકાસ વધુ અને પાણીનું બાષ્પીભવન ઓછું જોવા મળશે. તેમ છતાં

વધુ વાંચો....

આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ

આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ • કૃષિમાં ખાસ કરીને ઊંચા તાપમાન, ક્ષારીય જમીનો, વારંવાર પૂર તથા દુષ્કાળની આફતો સામે ટકી શકે તેવા પાકો અને તેની જાતોની વાવણી કરવી. • હવામાન આગાહી તથા

વધુ વાંચો....

કૃષિ ટેકનોલોજી : તણાવ સહનશીલતા માટે સ્પીડ બ્રીડીંગ

પંજાબ કૃષિ યુનિવર્સિટી (PAU) એ તેના પ્લાન્ટ બ્રીડિંગ અને જિનેટિક્સ વિભાગ ખાતે આ વધતી જતી ગરમી સામે ખેતી પાકોની સહનશીલતા વધારવા અંગેનો એક સેમિનાર “તણાવ સહનશીલતા વિકસાવવા માટે અદ્યતન સંવર્ધન વ્યૂહરચનાઓ’ આ

વધુ વાંચો....

ફાર્મ ઈનપુટ : ચીકણા પિંજર – સ્ટીકી ટ્રેપની ઉપયોગિતા

ડો.બી.જી.પ્રજાપતિ, નિવૃત્ત કિટકશાસ્ત્રી,૨૩, સૌન્દર્ય પેલેસ, અવસર પાર્ટી પ્લોટની પાછળ, મોઢેરા રોડ, મહેસાણા – ૩૮૪૦૦૨, મોબાઈલ : ૯૪૨૭૩ ૭૫૦૯૩ ચીકણા પિંજર (સ્ટીકી ટ્રેપ) શું છે ? ચીકણા પિંજર (સ્ટીકી ટ્રેપ) એ એક કલર્ડ

વધુ વાંચો....

બાયોચાર કેવી રીતે અસરકારક બને છે

બાયોચાર – 1 જ્યારે પવન હળવો હોય ત્યારે યોગ્ય હવામાન પરિસ્થિતિઓ હેઠળ બાયોચાર લાગુ કરો. હળવા વરસાદની સ્થિતિમાં બાયોચાર લાગુ કરવું પણ મદદરૂપ થઈ શકે છે જ્યાં હળવા વરસાદથી બાયોચારની ધૂળ ભીની

વધુ વાંચો....

આધુનિક નિંદામણનાશકો

આધુનિક ખેતીમાં ખેડૂતો નીંદણનાશક રસાયણો વાપરતા થયા છે. ભાલમણ ન હોય અને વાપરવામાં આવે તો પાક પર તેની વિપરીત અસર થવાની સંભાવના રહે છે. જેમ કે ઘઉંના પાકમાં કલોડીનાફોટા પ્રોપારજીલ વાપરવાની ભલામણ

વધુ વાંચો....

ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસમાં પરાગનયન કેવી રીતે કરવું?

આપણ ને ખબર છે કે ટામેટાનાં ફૂલોમાં દરેક ફૂલની અંદર નર અને માદા બંને ભાગ હોય છે.. ખુલા ખેતર ની જતી અલગ હોય છે , ખુલા ખેતરમાં પવન , મધમાખી વગેરે ફલીની

વધુ વાંચો....

વાલોળ માટે ખાતરની જરૂરિયાત

આ પાકનો જીવનકાળ લાંબો હોવાથી હેક્ટરે ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આપવું. આ પાક કઠોળ વર્ગનો પાક હોવાથી નાઈટ્રોજનયુકત ખાતરની ખાસ જરૂરિયાત રહેતી નથી. આમ છતાં રાસાયણિક ખાતરોમાં પ્રતિ

વધુ વાંચો....

ગુજરાતનો પ્રખ્યાત એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

આ મહિનાની એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં વિદેશની કંપનીના સ્ટોલ, કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ

વધુ વાંચો....

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો

વધુ વાંચો....

બાયોચારનો વપરાશ દર

કોઈપણ જમીન સુધારણાની ભલામણ માટીના પરીક્ષણ, જમીનના પ્રકારો અને પાકો પર આધાર રાખતો હોય છે. તેવી જ રીતે બાયોમાસ પણ અલગ અલગ ઇનપુટ બાયોમાસ સામગ્રીઓ અને તેમની લાક્ષણિકતાઓ પર આધારિત છે, આમ

વધુ વાંચો....

આંતરરાષ્ટ્રીય કૃષિ મેળો એગ્રી એશિયા ૨૦૨૬ – ગાંધીનગર

ગાંધીનગર ખાતે ૧૧-૧૨-૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગરમાં એગ્રી એશિયા ૨૦૨૬ કૃષિ મેળો યોજાશે. આ મેળામાં વિદેશની અને ભારતની વિધ વિધ કંપનીઓ ભાગ લેશે, આ મેળામાં નર્સરી ગ્રાફ્ટેડ રોપ જોવા મળશે

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks