aries agro

૧. નીંદણનાશક દવા ખરીદતી વખતે તથા તેને વપરાશમાં લેતા પહેલાં દવાના પેકિંગ ઉપર છાપેલ ઉત્પાદન તથા તેની અવધિની વિગતો જેવી કે માસ અને વર્ષની ચોકસાઈપૂર્વક ખાતરી કરી લેવી. અવધિ – (એકસપાયરી ડેઈટ) પૂરી થયેલ દવા વાપરવી નહીં કે ખરીદવી નહીં.

૨. ભલામણ કરેલ નીંદણનાશક દવાનો જ જે તે પાકમાં ઉપયોગ કરવો.

૩. ભલામણ કરેલ સમયે જ નીંદણનાશક દવા છાંટવી.

૪. ઊભા પાકમાં પાકની વૃદ્ધિની જે અવસ્થાએ નીંદણનાશક દવા છાંટવાની ભલામણ કરેલ હોય તે જ અવસ્થાએ છંટકાવ કરવો.

5.પોસ્ટ-ઈમરજન્સ પદ્ધતિમાં નીંદણના છોડ – ઉપર વધુ પ્રમાણમાં નીંદણનાશક દવા પડે તે રીતે છંટકાવ કરવો.

૬. એકસરખા છંટકાવ માટે ભલામણ કરેલ પાણીના જથ્થાનો ઉપયોગ કરવો.

૭. ભલામણ કરેલ હોય તો જ બે નીંદણનાશક દવા મિશ્ર કરીને છંટકાવ કરવો.

૮. નીંદણનાશક દવાને જંતુનાશક દવા સાથે મિશ્ર કરીને કયારેક છંટકાવ કરવો નહી.

૯. વધુ પડતો કે તોફાની પવન હોય ત્યારે છંટકાવ કરવો નહી.

૧૦. સામાન્ય પવન હોય ત્યારે પંપની નોઝલ જમીનની નજીક રહે તે રીતે છંટકાવ કરવો.

૧૧. ચાલુ વરસાદે નીંદણનાશક દવાનો છંટકાવ કરવો નહી.

૧૨. પ્રિ-ઈમરજન્સ પદ્ધતિમાં છંટકાવ કરતી વખતે જમીનમાં પૂરતો ભેજ હોવો જોઇએ.

૧૩. એક સરખા છંટકાવ માટે ફ્લેટફેન નોઝલનો ઉપયોગ કરવો.

૧૪. જંતુનાશક દવા છાંટવા માટેની નોઝલનો ઉપયોગ કરવો નહી.

૧૫. પાછા પગે ચાલીને જ નીંદણનાશક દવાનો છંટકાવ કરવો એટલે કે દવા છાંટેલા ભાગ પર ચાલવું નહી.

૧૬. શરીરના કોઈ પણ ભાગ ઉપર ઈજા થયેલ હોય તેવી વ્યક્તિઓએ દવાનો છંટકાવ કરવો નહીં.

૧૭. નીંદણનાશક દવા છાંટનારે હાથમોજાં, એપ્રોન, બુટ વગેરેનો ઉપયોગ કરવો.

૧૮. નીંદણનાશક દવા છાંટતા પહેલા અને છંટકાવ બાદ દવા છાંટવાનો પંપ, નોઝલ તેમજ પંપની નળી જેવા ભાગોને બે થી ત્રણ વખત ચોખ્ખા પાણીથી બરાબર સાફ કરવા. શકય હોયતો સાબુના દ્રાવણથી સાફ કરી ચોખ્ખા પાણીથી પંપના તમામ ભાગો સાફ કરવા

૧૯. નીંદણનાશક દવાના છંટકાવ દરમ્યાન બીડી તમાકુનો ઉપયોગ કરવો નહીં.

૨૦. દવા છંટકાવ બાદ હાથ-પગ સાબુ વડે ઘોઈ બરાબર સાફ કરવા.

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

વેલાવાળા પાકોનું વધુ ઉત્પાદન મેળવવા શું કરાય ?

વેલાવાળા શાકભાજીના પાકો પાસેથી વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન લેવા માટે વેલા જમીન પર પડી રહેવાને બદલે એને ગમતી પરિસ્થિતિ ઉભી કરવા, એટલે કે એ ઉંચે લટકી રહે એવું કરવા “માંડવા પદ્ધતિ” અપનાવવી

વધુ વાંચો....

“પાકની ફેરબદલી” શા માટે કરતા રહેવી ?

એકની એક જમીનમાં દર વરસે એનો એ પાક નહીં વાવતાં, બીજા પાકનું વાવેતર કરવું, તેનું નામ- “પાકની ફેરબદલી” અનાજ વર્ગના પાકો જમીનમાંના ઉપલા ચાર-પાંચ ઇંચના થરમાંથી, જ્યારે કઠોળ અને દ્વિદળ પાક છથી

વધુ વાંચો....

રોપ ઉછેર માટે ગાદી ક્યારાની માહિતી

તમામ ૠતુઓમાં અને ખાસ કરીને વરસાદનીૠતુમાં ગાદી કયારા પસંદ કરવામાં આવે છે. નર્સરીનીજમીનને લેવલ કરી તેને નીંદણ, જડિયા, પથ્થરો, કાંકરા વગેરે દૂર કરવા છે. નર્સરી બેડની માટીને ૫-૧૦ કિગ્રા પ્રતિ ચો.મી. સારી

વધુ વાંચો....

એનપીવી વાઇરસ મારે લીલી ઈયળ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જીવાત નિયંત્રણ માટે ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ કે જે ટૂંકમાં એનપીવી તરીકે ઓળખાય છે. ખાસ કરીને ફૂદા-પતંગિયાની ઈયળ અવસ્થા સામે એનપીવીનો ઉપયોગ થાય છે. આવા વિષાણુ આધારિત જૈવિક કીટનાશક જે તે જીવાત માટે

વધુ વાંચો....

બીટી એ ઈયળ માટે એક પ્રકારનું જઠર વિષ છે – કૃષિવિજ્ઞાન ટીપ્સ

બીટી એ એક પ્રકારનું જઠર વિષ છે. એટલે ઈયળોના ખોરાક સાથે બીટીનું જીવાતના આંતરડામાં પહોંચવું જરૂરી છે. મધ્ય આંતરડામાં પહોંચ્યા પછી બીટી ડેલ્ટા એન્ડો- ટોક્ષીન ….

રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ

વધુ વાંચો....

બેસીલસ થુરીન્જીન્સીસ બીટી જીવાણું – કૃષિવિજ્ઞાન ટીપ્સ

વિવિધ રોગકારકોમાં જીવાણુ (બેકટેરીયા) થી જીવાતોમાં થતા રોગનું સૌથી વધુ મહત્વ રહેલું છે. જુદા જુદા જીવાણુઓ પૈકી બેસીલસ થુરીન્જીન્સીસ કે જે ટૂંકમાં બીટી તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ ….

વધુ વાંચો....
કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

સલ્ફર તત્ત્વની ઉણપના છોડ ઉપર જોવા મળતા ચિહ્નો ક્યાં ?

૧. છોડના કુમળાપાન પીળા પડે છે. છેલ્લે છોડના પાન પીળાશ પડતા લીલા રંગના અને તેમાં જુદા જુદા કલરના ડાધા દેખાય છે. ૨. પાનની શીરાઓ પીળા કલરની દેખાય છે. છોડ પીળો પડી જાય

વધુ વાંચો....

મિત્ર કીટક ક્રાયસોપા ખુબ ઉપયોગી – કૃષિવિજ્ઞાન ટીપ્સ

મિત્ર કીટક ક્રાયસોપા (ક્રાયસોપર્લા) એ મોલોનું અગત્યનું પરભક્ષી કીટક ગણાય છે. જો કે મોલો ઉપરાંત તે થ્રિપ્સ, તડતડીયાં, ચિકટો (મીલીબગ) અને પાનકથીરી જેવી પોચા શરીરવાળી જીવાતો ….

વધુ વાંચો....

ટ્રાઈકોગ્રામા ઈંડાની પરજીવી ભમરી ઉપયોગી – કૃષિવિજ્ઞાન ટીપ્સ

આપણા દેશમાં ટ્રાઈકોગ્રામા ભમરીની લગભગ વિસેક જેટલી જાતિઓની ઓળખ થવા પામેલ છે. જે તે પાક માટે તે ખાસ જાતિ વધુ અસરકારક રીતે કામ આવે છે. દા.ત. ટ્રાઈકોગ્રામા એ….

વધુ વાંચો....

હજારો ખેડૂતો એકસાથે કૃષિ વિજ્ઞાન માસિક વાંચી શકે છે

પહેલાના વખતમાં આપણે ટપાલ સેવા અને પત્ર દ્વારા સંદેશા મોકલતા હતા સંદેશ પહોંચતા સમય પણ લાગતો આ બધું વોટ્સએપ અને ઇમેઇલ દ્વારા ડિજિટાઇઝ થયું .હવે લગનની કંકોત્રી પણ આપણે વોટ્સએપથી મોકલીએ છીએ

વધુ વાંચો....

વૈશ્વિક કૃષિમા તકનીકી નવીકરણ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

વૈશ્વિક કૃષિ એક તકનીકી નવીકરણ માંથી પસાર થઈ રહી છે કારણ કે વિશ્વ સતત આબોહવા પરિવર્તન, વધતી જતી ખાદ્ય માંગ અને મજૂરની અછત જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.. સૌથી નોંધપાત્ર પરિવર્તનોમાં

વધુ વાંચો....

“પાકની ફેરબદલી” શા માટે કરતા રહેવી ?

એકની એક જમીનમાં દર વરસે એનો એ પાક નહીં વાવતાં, બીજા પાકનું વાવેતર કરવું, તેનું નામ- “પાકની ફેરબદલી” અનાજ વર્ગના પાકો જમીનમાંના ઉપલા ચાર-પાંચ ઇંચના થરમાંથી, જ્યારે કઠોળ અને દ્વિદળ પાક છથી

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks