
ખારેકમાં માદાના હાથા ખુલ્યા પછી ૨-૩ દિવસમા પરાગનયન કરવું જરૂરી છે. અન્યથા પરાગનયન વિફ્ળ થવાની શક્યતા રહે છે. ખારેકના ઝાડમાં માદા હાથા એક સાથે ખુલતા નથી તેથી ખારેકમાં કૃત્રિમ પરાગનયન કરવું પડે છે. તેમજ દર વર્ષે ઝાડની ઊંચાઈ વધતી હોવાથી પરાગનયનનું કાર્યશ્રમ માગી લેતી પ્રક્રિયા છે. ખારેકના ઝાડમાં કાંટા ખૂબ જ તીક્ષ્ણ અણીવાળા હોય છે જે પરાગનયન દરમિયાન મુશ્કેલીઓ પેદા કરે છે તેને પરાગનયન કરતા પહેલા દૂર કરવા જોઈએ.



























