ધણી વખત બીયારણનો ઉગાવો ધાર્યા પ્રમાણે થતો નથી. તેના કારણે ખેડૂત વાવણી કરે તે પછી ખાલાં પડતાં હોવાથી તે ખૂબ નિરાશા અનુભવતો હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે કપાસ જેવા પાકોમાં ખાલાં પડી ગયાં હોય ત્યાં કપાસ રોપવામાં આવે તો તે બંને છોડ વચ્ચે અંતર રહે છે.
આવી સમસ્યામાંથી ઉકેલ શોધવા વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાના કઠોલી ગામના ગોપાલસિંહે પોતાની કોઠાસુઝથી છાણમાંથી કુંડા બનાવી અનોખી પહેલ કરી છે. ગોપાલભાઈના અનુભવ મુજબ *સામાન્ય કુંડાની જેમ જ છાણમાંથી કુંડા બનાવવાનો અખતરો કર્યો અને મને લાગ્યું કે આ કુંડામાં કપાસના છોડ ઉછેરી સીધુ ખેતરમાં રોપાણ કરીએ તો છોડનો ખાતરની સાથે ઝડપી વિકાસ થઈ શકે. વળી ઉનાળામાં ઓછા પાણી સામે અને ભેલાણ તથા ગરમીની તકલીફમાંથી છુટકારો મળે છે. ચાલુ વર્ષે મેં મારા ઘરના ધાબા પર છાણમાંથી બનાવેલા કુંડામાં છોડ ઉછેરી ખેતરમાં કપાસનું સફળતાપૂર્વક વાવેતર કર્યું. આ પદ્ધતિનો બીજો ફાયદો એ છે કે ખાલાં પડવાની સમસ્યા થતી નથી. આમાં છાણનાં કુંડાનો ખેડૂત બીજી રીતે પણ ઉપયોગ કરી શકે છે, જેમ કે ખેતરમા જે દિવસે કપાસનું વાવેતર કર્યું હોય તેના એક-બે દિવસ પછી ધરના ધાબા ઉપર અથવા વૃક્ષના છાયે છાણનાં કુંડામાં જો કપાસ વાવી દઈએ તો જયારે ખેતરમાં ખાલા પડે ત્યારે સરખી ઊંચાઈના છોડ ખાલાં પૂરવા માટે ઉપલબ્ધ હોય. આ પદ્ધતિનો ફાયદો એ છે કે, ખેડુત માટે કુંડા ઘરે બની શકે છે, જે સસ્તી અને પર્યાવરણમિત્ર ટેકનોલોજી છે.
ગુજરાતમાં કન્યાઓ ગૌરીવ્રત કરે ત્યારે વાંસની નાની ટોપલીમાં અથવા નાના કુંડામાં અલગ-અલગ જાતનાં અનાજ કે કઠોળ ઉછેરતી હોય છે. આ જોઈને મને છાણામાંથી બનેલા કુંડા બનાવવાનો વિચાર સુઝયો. અમારે ત્યાં છાણ ઉપલબ્ધ હોવાથી અને ખાતર તરીકે પણ ઉપયોગી હોવાથી છાણામાંથી કુંડા બનાવવાનો વિચાર કર્યો.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

અનાજને સાચવે ખાખરાના પાન

કોઈ પણ પ્રકારના રસાયણોનો ઉપયોગ કર્યા વિના અનાજને સાચવવા માટે ખેડૂતો વિવિધ દેશી તરકીબો અજમાવતા હોય છે. જેમ કે, સૂકાં મરચાં, મીઠાના ગાંગડા, લીમડાનાં પાન અને ઘઉંનું કુવળ વગેરે… પણ કેટલીક મહિલાઓ

વધુ વાંચો....

સાંધાના દુઃખાવા માટે વનસ્પતિ

૪૦ વર્ષથી વધુ વયના મનુષ્યો માટે સાંધાનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે. સાંધાનો દુખાવો સ્થિતિસ્થાપક મસલ્સ કઠણ થઈ જવાથી અથવા ઘૂંટણના સાંધામાં યુરિક એસિડનો ભરાવો થવાથી થતો હોય છે. ઓરિસ્સાના ગ્રામજનો સરગવાના

વધુ વાંચો....

કોકડવામાં ઇંગોરિયાનું દ્રાવણ

ખેડૂતો પોતાની મેળે અવનવા બિનખર્ચાળ પ્રયોગો અવિરત કરતા હોય છે. તેમાંય શાકભાજીના પાકમાં રોગ-જીવાતનું આક્રમણ થાય ત્યારે ત્વરિત પગલાં લેવા પડતાં હોય છે. સાવરકુંડલા તાલુકાના વણોટ ગામના શ્રી નાગજીભાઈ બચુભાઈ રાઠોડએ ટેટી

વધુ વાંચો....

પ્રયોગ : ભેલાણ અટકાવવા છાણામાં મરચાંનો ધુમાડો

બનાસકાંઠા જીલ્લામાં દિયોદર ગામે ખેડૂતો સાથેની એક ગોષ્ઠિ દરમિયાન ખબર પડી હતી કે, મરચાંનો બારિક ભૂકો ભૂંડ આવવાના રસ્તા ઉપર છાંટવાથી ભૂંડના નાકમાં તકલીફ થાય અને રસ્તો છોડી ભાગી જાય ! ખેડૂતોને

વધુ વાંચો....

પ્રયોગ : રીંગણામાં કોકડવા નિયંત્રણ કેમ કરવું?

રીંગણામાં કોકડવાનો ઉપદ્રવ મોટી સમસ્યા છે. ખાસ કરીને ભેજવાળું કે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે ચૂસિયા જીવાતના ઉપદ્રવ પછી કોકડવાની શરૂઆત થઈ જાય છે, જેમાં પાન
કોકડાઈ જાય છ.નવા ફુટ અન ફૂલ

વધુ વાંચો....

પ્રયોગ : ગંધાતી સફેદમાખીના નિયંત્રણ માટે સફળ ઔષધિ

સફેદમાખીનું નિયંત્રણ કેવી રીતે કરવું ? આ સમસ્યાના ઉપચાર માટે મોડાસાના પ્રયોગશીલ ગ્રામસેવક શ્રી રજનીકાંત કે. પટેલે ગંધાતીના ઉપયોગ વડે નિયંત્રણ મેળવી સફળતા પ્રાપ્ત કરી છે.

વધુ વાંચો....

પ્રયોગ : બિલાનું જૈવ રસાયણ: પાકા બિલાની અંદરનો ગર્ભ

બિલાનું જૈવ રસાયણ ૩ કિલો, એક કિલો ગોળ, ૧૦ લિટર પાણી; આ તમામ સામગ્રીને એક કેરબામાં હવાચુસ્ત રીતે બંધ કરીને ૯૦ દિવસ માટે મૂકી દઈએ છીએ. શાકભાજીના પાકોમાં ૪૦થી ૪૫ દિવસ પછી

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks