
હા, સુક્ષ્મ તત્ત્વોની પૂર્તિ બધા પાકને જરૂરી છે. કારણ કે કોઈપણ પાકના સપ્રમાણ વૃદ્ધિ અને વિકાસ માટે બધા જ આવશ્યક પોષક તત્ત્વો જરૂરી છે. સૂક્ષ્મ પોષક તત્ત્વો પણ આવશ્યક તત્ત્વો તરીકે જ ગણવામાં આવે છે. ફરક માત્ર એટલો જ છે કે સૂક્ષ્મતત્ત્વોની જરૂરિયાત ઓછી છે બાકી બધા જ પાકમાં તે જરૂરી છે અને તેની અગત્યતા મુખ્ય પોષક તત્ત્વો જેટલી જ છે. તો કોઈ સાંજે કે તો પછી સૂક્ષ્મ તતવો વધુ નાખીયે તો વધુ ઉત્પાદન મળે ? ના, પાક તેની જરૂરિયાત મુજબ જ તત્ત્વોને ઉપયોગ લે છે. વધારાનું પડી રહે, વ્યય થાય અને જમીન બગડે. ગોળ નાખીએ એટલું ગળ્યો થાય, પણ કોઈ ન ખાય તેથી માપસર-પ્રમાણસર જ ખાતરો વાપરવા જોઈએ.










