સમજીયે, તમારી જમીનના રોગકારક હાજર છે, વાતાવરણ અનુકૂળ છે અને રોગકારકને આશ્રય આપનાર કે ફેલાવનાર હાજર છે ત્યારે રોગ સરળતાથી પ્રવેશ કરે છે અને તેનું નિયંત્રણ સમયસર કરવામાં ના આવે તો પાકને મોટું નુકશાન થાય છે. દા. ત. જો તમે વર્ષો વર્ષથી એકજ પડામાં મરચી વાવો છો, પાક ફેરબદલી કરતા નથી તો ગયા વર્ષના મરચીના રોગકારક તમારી માટીમાં હાજર છે તેને અનુકૂળ વાતાવરણ મળશે ત્યારે તે પોતાની વૃદ્ધિ કરશે. તમે બીજ પણ રોગપ્રતિરોધક વાવ્યું નથી ( બીજ પસંદગીનું મહત્વ ) અને સતત વરસાદ છે 12 કલાક થી વધુ પાંદડા ભીના રહ્યા છે વાતાવરણમાં બેક્ટેરિયા છે. મરચી પાળા ઉપર વાવી નથી કે મરચીને ટેકો( સ્ટેકીંગ ) કર્યું નથી. છોડ જમીનને અડેલા છે, ધાબડીયું વાતાવરણ છે , હવાઉજાસ નથી તો પછી પાનના ટપકાં અને એન્થ્રેકનોઝ ચેપ લાગશે જો તમે નિયંત્રણ નહિ કરો તો છેલ્લે ફોરવર્ડ માલ( ડાઘીવાળો ) માલ થશે. આ છે રોગ ત્રિકોણની સાદી સમજ. તમારા ખેતરમાં રોગકારક હાજર હોય, રોગ ફેલાવનાર હોસ્ટ હાજર હોય અને વાતાવરણ અનુકુળ હોય તો જ રોગ આવે છે તે રોકવા ખેડૂતે સમયસર પગલા લેવાથી ઓછા ખર્ચે નુકશાનમાંથી બચી શકાય છે. આ માટે રોજ ખેતરમાં અવલોકન કરવું પડે ભાઈ….

ખેતીમાં જો અસરકારક રોગ વ્યવસ્થાપન કરવું હોય તો કઈ ત્રણ બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે.
આપણી ખેતીમાં આપણે જો અસરકારક રોગ વ્યવસ્થાપન કરવું હોય તો આ ત્રણ બાબતોનો યજમાન (HOST): મજબૂત આનુવંશિકતા (Genetics) અને રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતી જાતો વાવવી બીજું રોગકારક (PATHOGEN): ખેતરમાં રોગકારક જીવોના વર્તન

















