
ડૉ. એન. એમ. ગોહેલ ૪ ડૉ. એ. બી. બ્રહ્મભટ્ટ ડૉ. આર. કે. ઠુમર વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ – ૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૯૨) ૨૬૨૪૩૫
જંતુનાશકો વિવિધ સ્વરૂપે મળે છે જે પૈકી પ્રવાહી (ઈસી), પાણીમાં ભીજવી શકાય (વેટેબલ પાઉડર) અને પાણીમાં ઓગળી શકે (સોલ્યૂબલ પાઉડર) તેવી જંતુનાશકોના છંટકાવ માટે પાણીની જરૂર પડે છે. છંટકાવ માટેના પાણીની ગુણવત્તા પણ એટલી જ અગત્યની છે. સામાન્ય રીતે પાણીની અમ્લતાનો આંક પીએચ) તટસ્થ (૭.૦) હોય તે હિતાવહ છે. જો છંટકાવ માટેના પાણીની અમ્લતાનો આંક ૭.૫ કરતાં વધારે હોય તો આલ્કલાઇન માધ્યમને કારણે કેટલીક જંતુનાશકોની અસરકારકતા ઘટતી હોય છે.


















