
કોઈ પણ પ્રકારના રસાયણોનો ઉપયોગ કર્યા વિના અનાજને સાચવવા માટે ખેડૂતો વિવિધ દેશી તરકીબો અજમાવતા હોય છે. જેમ કે, સૂકાં મરચાં, મીઠાના ગાંગડા, લીમડાનાં પાન અને ઘઉંનું કુવળ વગેરે… પણ કેટલીક મહિલાઓ એવી હોય છે કે જે બીજાઓ કરતાં કંઈક અલગ પદ્ધતિઓ અજમાવી અનાજનો સંગ્રહ કરે છે.
સાબરકાંઠા જિલ્લાના સૂકાગ્રસ્ત એવા ભીલોડા તાલુકાના બામણા ગામનાં અરખીબહેન મીઠાભાઈ વણકર ખાખરા (Butea monosperma)ના સૂકા પાન નો ઉપયોગકરી અનાજને સાચવે છે. તેમના જણાવ્યા મુજબ; ભેજમુક્ત કોઠીના તળિયે ખાખરાનાં સૂકાં પાનનું પતરાળું બનાવી ત્રણથી ચાર પતરાળાં મૂકી અનાજ ભરવામાં આવે છે. ત્યાર બાદ દોઢ ફૂટ જેટલું અનાજ ભરી ફરી ખાખરાનાં સૂકાં પાન મૂકી અનાજ ભરીએ છીએ અને છેલ્લે ખાખરાનાં સૂકાં પાન મૂકી કોઠીને બંધ કરી દઈએ છીએ. આ પદ્ધતિ અજમાવવાથી અનાજમાં કોઈ પણ પ્રકારની જીવાત પડતી નથી. આ પદ્ધતિ અમે વર્ષોથી પરંપરાગત રીતે જ ઉપયોગ કરીએ છીએ,
















