રોગના અસરકારક નિયંત્રણ માટે શરૂઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી નાશ કરવો. ઇમીડાકલોપ્રીડ ના ૪૦, ૫૫ અને ૭૦ માં દિવસે ત્રણ છંટકાવ કરવાથી ભીંડાના પીળી નસના રોગ અને પ્રસારક ‘સફેદમાખી’ નું અસરકારક રીતે નિયંત્રણ થાય છે રોગપ્રતિકારક જાતો ની પસંદગી કરવી વધુ ઉપદ્રવ વખતે ટોલફેનપાયરાડ 30 મીલિ અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 6 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ખેતી પાકોમાં કૃમિથી જીવાત નિયંત્રણ
આજના ઝડપી યુગમાં મોટાભાગના માણસો માનતા હોય છે કે, ફકત રાસાયણિક જંતુનાશક દવાથી જ જીવાતોનું ઝડપી અને સફળ નિયંત્રણ થઇ શકે છે. પરંતુ વાસ્તવમાં હકીક્ત તદન જુદી છે. જૈવિક નિયંત્રણ ભલે ધીમી

















