જીરૂનો કાળીયો અથવા ચરમીનો રોગ જમીનજન્ય તેમજ બીજ જન્ય ફૂગથી થાય છે. શરૂઆતમાં પાન પર નાના કથ્થાઈ રંગના ટપકાં પડે છે ત્યારબાદ ટપકાં મોટા થઈ આખા પાન કથ્થાઈ રંગમાં ફેરવાઈ જાય છે. ઘણીવાર ડાળી ઉપર પણ આવા ધાબા પડે છે. અંતે પાન અને ડાળીઓ સાથે આખા છોડ સુકાઈ જાય છે અને બળી ગયા હોય તેવા દેખાય છે. રોગિષ્ટ છોડ ચીમળાઈ જઈ કાળો પડી જાય છે. દાણા બેસતા નથી. જો દાણા બેસે તો કાળા અથવા ચીમળાયેલા અને નાના દાણા બેસે છે. સામાન્ય રીતે આ રોગની શરૂઆત વાવણી પછી ૪૦ દિવસે થાય છે.
રોગની શરૂઆત ખાસ કરીને એકમ વિસ્તારમાં વધારે છોડ અને કયારામાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાંથી થતી જોવા મળે છે. શિયાળાની ઋતુમાં ઘણી વખત કમોસમી વરસાદ (માવઠું) અને વાદળછાયુ વાતાવરણ થાય ત્યારે આ રોગની વૃધ્ધિ અને ફેલાવો ખૂબ જ ઝડપથી થાય છે તેથી પાક નિષ્ફળ જાય છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

જીરુંની ખેતી : જીરુંના પાકની વૈજ્ઞાનિક ખેતી

જીરૂ એ ટુંકા ગાળાનો તથા છીછરા મુળ વાળો પાક હોઇ સામાન્ય રીતે દર વર્ષ છાણિયું ખાતર આપવાની જરૂરિયાત નથી. છતાં વધારે રેતાળ જમીન કે જ્યા ફળદ્રુપતા ઓછી હોય…..

વધુ વાંચો....

જીરુંનો રોગ : ભૂકીછારો

જીરુંનો ભૂકીછારો રોગને સુકું અને ઠંડુ વાતાવરણ માફક આવે છે. છોડ ને વૃદ્ધિ સમયે વધુ પડતું પાણી આપવાથી પણ આ રોગ નો ફેલાવો થઇ શકે છે. રોગ કારક:- ઈરીસીફી પોલીગોની નામની ફૂગ

વધુ વાંચો....

રોગ : જીરૂનો કાળીયો/કાળી ચરમીનો રોગ કેવી રીતે નિયંત્રિત કરી શકાય?

જીરૂનો કાળીયો/કાળી ચરમીનો રોગની શરૂઆત થયેથી એઝોક્સીસ્ટ્રોબીન ૨૩ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૨૫ ગ્રામ અથવા મેટીરામ ૭૦ વેપા ૨૫ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં

વધુ વાંચો....

હળદર ઉપચાર (કયોરિંગ)ની પરંપરાગત પદ્ધતિ

ઉપચારની પરંપરાગત પદ્ધતિમાં, સાફ કરેલા રાઇઝોમ્સને જ્યાં સુધી સંપૂર્ણ ડૂબે નહિ ત્યાં સુધી પાણી નાખીને ઉકાળવાની શરૂઆત કરવામાં આવે છે. જ્યારે થોડી તદ્દન અલગ પ્રકારની સુગંધ આવે અને સફેદ ફીણ આવવા લાગે

વધુ વાંચો....

બ્રોકોલીની ખેતી માટે હવામાનની જરૂરિયાત 

બ્રોકોલી એ શિયાળુ અને એક વર્ષાયું પાક છે. તેના બીજના ઉગવા માટે નીચા તાપમાનની જરૂર રહે છે. જો તાપમાન વધુ હશે તો બીજનો ઉગાવો સારો નહીં થાય. બ્રોકોલી એ શીતકટિબંધનો પાક હોવાથી

વધુ વાંચો....

જીવાત : નાળિયેરીમાં ગેંડા કીટક

આ જીવાતની માદા કીટક છાણીયાં ખાતરના ખાડામાં ઈંડા મૂકતી હોવાથી નાળિયેરીના બગીચામાં અથવા નજીકમાં ખાતરના ખાડા કરવા નહી. આજુબાજુના ખાતરના ખાડામાં ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી ખાતરના ખાડાને

વધુ વાંચો....

સલ્ફર તત્ત્વની ઉણપનું નિવારણ કેમ કરવું ?

જમીનની ફળદ્રુપતામાં સલ્ફરનો ફાળો મોટો છે. હાલ ગુજરાતની જમીનોમાં સલ્ફરની અછત જોવા મળેલ છે. તેથી તેનું મહત્ત્વ વિશેષ છે. આથી જમીનનું પૃથ્થકરણ કરવાથી જો સલ્ફરની અછત જમીનમાં હોય તો જમીનમાં સલ્ફર યુકત

વધુ વાંચો....

કૃષિજ્ઞાન : કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ

કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ જીવન ચક્ર : કોસેટો > કુદુ ( પુખ્ત કીટક) > ઈંડા > ઇયળ ગુલાબી ઈયળના ફુદા નર અને માદા સરખા ક્રમમાં નીકળે છે એટલે કે એક માદા

વધુ વાંચો....

ગંધાતી – નીંદણોનું નિયંત્રણ : કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી

ગંધાતી – નીંદણોનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ –

વધુ વાંચો....

હળદરની ખેતી માટે કેવું હવામાન અનુકુળ હોય છે ?

હળદરની ખેતી માટે અનુકુળ હવામાન હળદરના કંદની વૃદ્ધિ માટે ગરમ હવામાન જરૂરી છે. વૃધ્ધિકાળ દરમિયાન સરાસરી ૩૨ થી ૩૬ સે.ગ્રે. ઉષ્ણતામાન જોઈએ. ઓછા ઉષ્ણતાપમાને તેની વૃધ્ધિ અટકી જાય છે. એકંદરે ગરમ અને

વધુ વાંચો....

ઉત્તમ ખેતી ક્યારે ગણાય ? : કૃષિ વિજ્ઞાન જુના અંકો માંથી

જૂન 1978 વર્ષના કૃષિ વિજ્ઞાન અંકમાં પ્રસદ્ધિ થયેલી વાત વાંચો : ગયા અંકમાં આપણે (1) પીઠ ( બઝાર ) પકવનારના હાથ માં હોવી જોઈએ (2) આપણી પ્રારબ્ધવાદી મનોદશાની વાત કરી હતી આ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks