રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 5 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15 લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી 27 મીલિ અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી 25 મીલિ અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી 20 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મીલિ પ્રતિ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ખેતી પાકોમાં કૃમિથી જીવાત નિયંત્રણ
આજના ઝડપી યુગમાં મોટાભાગના માણસો માનતા હોય છે કે, ફકત રાસાયણિક જંતુનાશક દવાથી જ જીવાતોનું ઝડપી અને સફળ નિયંત્રણ થઇ શકે છે. પરંતુ વાસ્તવમાં હકીક્ત તદન જુદી છે. જૈવિક નિયંત્રણ ભલે ધીમી


















