અળસિયાનું ખાતર : વિઘટનશીલ કાબનીક પદાર્થોમાંથી અળસિયા દ્વારા બનતાં ખાતરને વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાનું ખાતર કહે છે. તેમાં ૧.૭૫-૨.૨૫% નાઈટોજન, ૧.૫૦-૨.ર૫% ફોસ્ફરસ અને ૧.ર૫-૨.૦૦% પોટાશ તત્ત્વ હોય છે. સજીવ ખેતીમાં અળસિયાનો મોટો ફાળો છે. અળસિયા ખોરાક તરીકે સેન્દ્રિય પદાર્થોનો ઉપયોગ કરે છે સાથે માટીના રજકણો પણ ખાય છે. એક અંદાજ મુજબ અળસિયા પોતાના શરીરમાંથી દર વર્ષે એક હેક્ટર જમીનમાં ૧૫ ટન જેટલી માટી હગાર તરીકે બહાર ફેક છે જે જમીનનો બાંધો સુધારે છે અળસિયા જમીનમાં ઊંડે જઈ દર બનાવે છે જેને લીધે નિતાર શક્તિ સુધરે છે અળસિયાનું ખાતર ૧ થી ૨.૫ ટન પ્રમાણે પાકના વાવેતર સમયે આપી શકાય છે અથવા બાગાયતી પિયત પાકોમાં અળસિયા ૧ થી ૨ લાખ પ્રતિ હેક્ટરની સંખ્યા પ્રમાણે સીધા જમીનમાં આપીને પણ ફાયદો મેળવી શકાય છે. ડાંગરની ક્યારી તથા ખેતી પાકોમાં અળસિયા સીધા ઉપયોગી નથી.

ખેતી પાકોમાં કૃમિથી જીવાત નિયંત્રણ
આજના ઝડપી યુગમાં મોટાભાગના માણસો માનતા હોય છે કે, ફકત રાસાયણિક જંતુનાશક દવાથી જ જીવાતોનું ઝડપી અને સફળ નિયંત્રણ થઇ શકે છે. પરંતુ વાસ્તવમાં હકીક્ત તદન જુદી છે. જૈવિક નિયંત્રણ ભલે ધીમી

















