જીવાતો પ્રતિકાર શક્તિ કેવી રીતે કેળવે છે તે દાખલ સાથે સમજીયે , દરેક જંતુનાશકના મોલેક્યુલ ( ઝેર ) જીવાતની એલ ડી 50 વેલ્યુના આધારે ડોઝ નક્કી કરે, દા.ત. કથીરી એટલે કે અષ્ટપાંગ જીવાત કે જેને ચાર જોડી પગ હોય અને તે બીજી જીવાત કરતા જુદી પડે છે, તે કરોળિયા વર્ગની જીવાત છે, જે રસ ચૂસે છે પણ છોડ પર ઝાળા બાંધે છે, તમારે આ જીવાત માટે ઇન્સેક્ટીસાઇડ ને બદલે એકેરીસાયડ વાપરવી પડે, અમુક ડોઝ 12 મિલી ને બદલે 25 મિલી વાપરી તો કથીરી નિયંત્રણ થયું પણ એમાંય જો થોડી કથીરી બચી ગઈ. તો આ બચી ગયેલી કથિરીને બચ્ચા આવ્યા તે હવે 12 મિલીથી નહિ મરે, એટલે કે તો તમારે દવા બદલવી પડે અથવા ડોઝ વધારવો પડશે, આવું આપણે અથવા તો આપણા ભાગીયા એમ બધા કરશે એટલે કથીરીની કોઈ સારી દવા (મોલેક્યુલ)નું હથિયાર આપણે બધા ભેગા મળીને બુઠું કરી નાખીયે , એમાં નામનેઠા વગરની ( ટેક્નિકલ ક્યુ છે તે ખબર ના હોઈ તેવી ) દવા છાંટીએ, તમે થોડા ટેક્નિકલ જ્ઞાન લેવાનું રાખો , આપણે આ કોલમમાં વૈજ્ઞાનિક વાતો કરીયે છીએ

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?
ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો



















