કપાસના પાકમાં મોટા ભાગે જીંડવા કોરી ખાનાર ઈયળોના ઉપદ્રવને લીધે ફૂલભમરી ખરી પડતી હોય છે. પરંતુ ઘણી વખત કપાસના પાકમાં કે રોગના લક્ષણો ન હોવા છતાં ફૂલભમરી ખરી પડે છે. તેને માટે જવાબદાર પરિબળોમાં (૧) છોડમાં પોષક તત્વો અને અંતઃસ્ત્રાવોનું અસંતુલન થવાથી (ર) જમીનમાં ભેજની ખેંચ પડવાથી (૩) વાદળછાયું વાતાવરણ થવાથી (૪) હવામાનમાં એકાએક ફેરફાર થવાથી (૫) ફૂલભભરી બેસવાની અવસ્થાએ વધારે પડતો વરસાદ પડવાથી અને (૬) ફૂલભમરી બેસવાની અવસ્થાએ વધારે પડતા ઉષ્ણતામાન વગેરેનો સમોશ થાય છે.
કપાસના વિકાસ પામતા જીંડવા અનેક કારણોથી અસર પામતા હોય છે. શરૂઆતની અવસ્થાએ દેહધાર્મિક કારણોસર કળી કે નાના જીંડવા ખરી જતા હોય છે. કેટલીક વખત જીંડવા કોરી ખાનાર ઈયળોથી નુકસાન પામેલ જીંડવામાં સૂક્ષ્મજીવાણુઓ અંદર દાખલ થતાં જીંડવાનો સડો લાગુ પડે છે. આવાં જીંડવા ખરી પડે છે.