
* દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ડુંગળી (કાંદા) ના પાકમાં નીંદણ નિયંત્રણ માટે ફેરરાપણી પહેલા હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. ફ્યુકલોરાલીનનો છંટકાવ કરવો અને ત્યાર બાદ ૪૦ દિવસે હાથથી એક નીંદામણ કરવું હેકટર દીઠ ૦.૫૦ કિ.ગ્રા. પ્રમાણે નીંદણનાશક દવાને ફેરરોપણી પછી ચાર દિવસે છાંટવાથી પણ આ પાકનું નફાકારક ઉ
ત્પાદન લઇ શકાય છે. જયાં સસ્તા અને પૂરતા મજૂરો સમયસર મળી શકતા હોય ત્યાં રાસાયણિક દવાઓ વાપરવાને બદલે ફેરરોપણી પછી ૨૦ અને ૪૦ દિવસે હાથથી બે વખત નીંદામણ કરવાથી પણ નીંદણ નિયંત્રણ થઈ શકે છે.
* ડુંગળીના પાકમાં ફેરરોપણી બાદ ૧૫, ૩૦ અને ૬૦ દિવસે એમ કુલ ત્રણ વખત હાથથી નીંદામણ કરવું. જો હાથ વડે નીંદામણ કરવું શકય ન હોય તો રોપણી પછી તુરત જ હેકટર દીઠ ૨.૦ કિ.ગ્રા. ફ્યુકલોરાલીન આપવું તેમજ ત્યાર બાદ ૪૫ દિવસે એક વખત હાથ વડે નીંદામણ કરવું. ફ્યુકલોરાલીનની અવેજીમાં બ્યુટાકલોર તેટલું જ અસરકારક માલૂમ પડેલ.બ્યુટાકલોર હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. રોપણી પહેલા અથવા રોપણી બાદ તુરંત આપવું. બ્યુટાકલોર આપ્યા પછી પણ એક વખત ૪૫ દિવસે હાથ વડે નીંદામણ કરવું આવશ્યક છે.
* દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને ડુંગળીના પાકમાં નીંદણ નિયંત્રણ માટે નીચે દર્શાવેલ પૈકી એક પદ્ધતિ અનુસરવાની સલાહ – આપવામાં આવે છે :
(૧) મજૂરો લક્ષ્ય હોય ત્યાં ફેરરોપણી બાદ ૨૦અને ૪૦ દિવસે એમ બે હાથ વડે નીંદામણ કરવું.
(૨) ફ્લ્યુકલોરાલીન હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. મુજબ ફેરરોપણી પહેલાં પ્રિપ્લાન્ટ (પાકની ફેરરોપણી પહેલાં દવાઓ છંટકાવ કરી જમીનમાં ઉપરના સ્તરમાં ભેળવી દેવી) તરીકે છંટકાવ કરવો અને ફેરરોપણી બાદ ૪૦ દિવસે એક વખત હાથ વડે નીંદામણ કરવું.
(૩) ઓકઝાડાયેઝોનનો હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ તરીકે છંટકાવ કરવો અને ફેરરોપણી બાદ ૪૦ દિવસે એક વખત હાથ વડે નીંદામણ કરવું.
* ડુંગળી પાકમાં અસરકારક નીંદણ નિયંત્રણ કરવા માટે હાથથી બે વખત નીંદામણ કરવાની ભલામણ કરવામાં આવે છે. પરંતુ મજૂરોની તંગી હોય તેવા સંજોગોમાં હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. ફ્યુકલોરાલીન રોપણી પહેલા પ્રિપ્લાન્ટ છાંટવાની ભલામણ કરવામાં આવે છે.
* મધ્ય ગુજરાત વિસ્તારના ખેડૂતોને ડુંગળીની રોપણી બાદ ત્રીજા દિવસે હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા. પેન્ડીમીથાલીન ૫૦૦ લિટર પાણીમાં ઓગાળીને છાંટવાની સલાહ આપવામાં આવે છે. જો ઉપરોકત નીંદણનાશક દવા ઉપલબ્ધ ન હોય તો રોપણી પછી ૨૧ અને ૬૦ દિવસે એમ બે વખત હાથ વડે નીંદામણ કરવાથી અસરકારક રીતે નીંદણ નિયંત્રણ કરી શકાય છે.
* મધ્ય ગુજરાત વિસ્તારમાં ડુંગળી ઉગાડતા ખેડૂતોને અર્થક્ષમ નીંદણ નિયંત્રણ માટે પેન્ડીમીથાલીન ૧.૦ કિ.ગ્રા./હે. અથવા ટ્રાઇફ્યુરાલીન ૧.૦ કિ.ગ્રા./હે રોપણી પહેલા અથવા રોપણી બાદ (રોપણીના બે દિવસ પહેલાં અથવા બે દિવસ બાદ) છંટકાવ કરવો. મજૂરો સરળતાથી ઉપલબ્ધ હોય તો ફેરરોપણી બાદ ૩૦ અને ૬૦ દિવસે એમ બે હાથ નીંદામણ કરવાથી પણ અસરકારક રીતે નીંદણ નિયંત્રણ થાય છે.



























