
નીંદણોનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા, શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ (મો.) ૭૬૦૦૪૫૫૪૫૯
ગુલ્લીદંડા (Phalaris minor) ઃ
ઘઉંના પાકમાં આ પરદેશી ઘુસણખોર આક્રમક નીંદણ છે.. તે દેખાવમાં ઘઉં તથા જવને એકદમ મળતું આવે છે, જેમાં એકસરખી ઊંચાઈ તથા સમયે બીજ આવે છે. દરેક છોડમાં ૩૦૦ થી ૪૬૦ ચમકતાં, કાળાં, એકદમ નાનાં, ચપટાં બીજ ઉત્પન્ન થાય છે.
નિયંત્રણ ઃ અસરકારક નિયંત્રણ માટે આઈસોપ્રોટયુરોન ૦.૫ કિ.ગ્રા./હે. (૧૦ લિટર પાણીમાં ર૦ મિ.લિ. દવા) પાકની વાવણી બાદ ૨૦-૨૫ દિવસે છંટકાવ કરવો. આ દવાથી ચીલ-બલાડો પણ કાબૂમાં લઈ શકાય છે કોરાંટ ઘઉંમા ૨૫ ગ્રામ સેલ્ફોસલ્યુફુરાન દવા ૫૦૦ લિટર પાણીમાં ઓગાળી વાવણી બાદ ૩૦-૩૫ દિવસે છંટકાવ કરવાથી ગુલ્લીદંડાનું અસરકારક નિયંત્રણ થાય છે



























