

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત-હવામાન ખેડૂતોને ચોમાસુ સોયાબીનના પાકમાં અસરકારક અને અ અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે ફ્લ્યુકોરાલીન હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવાની અને ૨૦-૨૫ દિવસે હાથ વડે નીંદામણ કરવાની અથવા પેન્ડીમીથાલીન હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ તરીકે છંટકાવ કરવાની અને ૨૦ ૨૫ દિવસે હાથ વડે નીંદામણ કરવાની અથવા એલાકલોર હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ તરીકે છંટકાવ કરવાની અને ૨૦ ૨૫ દિવસે હાથ વડે નીંદામણ કરવાની સલાહ છે.
જ્યાં મજૂરો સહેલાઇથી મળી શકે તેમ હોય ત્યાં વાવણી પછી ૨૦ અને ૪૦ દિવસે એમ બે વખત હાથ વડે નીંદામણ કરવાથી નિયંત્રણ કરી શકાય છે.
* મધ્ય ગુજરાત ખેત હવામાન વિસ્તારમાં ચોમાસુ સોયાબીનના પાકમાં અસરકારક અને અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા ૨૦ અને ૪૦ દિવસે આંતરખેડ તથા હાથ નીંદામણ કરવું મજૂરો ઉપલબ્ધ ન હોય તો પ્રિઈમરજન્સ
નીંદણનાશક દવા ફ્યુકલોરાલીન ૧.૦ કિ.ગ્રા./હે. અથવા પેન્ડીમીથાલીન ૦.૭૫ કિ.ગ્રા./હે. | છંટકાવ અને ૩૦ દિવસે હાથ નીંદામણ : અથવા પોસ્ટ ઈમરજન્સ નીંદણનાશક કાઝાલોોપ ૫૦ ગ્રામ/હે. વાવણી બાદ ૧૫ દિવસે છંટકાવ અને ૩૦ દિવસે હાથ નીંદામણ કરવું.


























