

નીંદણ નિયંત્રણમાં સફ્ળ થવા માટે “ નીંદણનું જીવનચક્ર જાણવું ખાસ જરૂરી છે. એકવર્ષિય નીંદણ માટે જે રીતો અસરકારક હોય તે જ બહુવર્ષિય નીંદણો માટે ન પણ અનુકૂળ હોય. વાર્ષિક નીંદણનો ફ્લાવો મુખ્યત્વે બીજથી થતો હોય છે જેથી આવા નીંદણ ફૂલ કે બીજ અવસ્થા એ પહોંચે તે પહેલાં તેનો નીંદણ નિયંત્રણની પધ્ધતિનો ઉપયોગ કરી નાશ કરવાથી અસરકારક રીતે અટકાવી શકાય છે.
કાયમી પ્રકારના નીંદણનું પ્રસર્જન બીજ તથા વાનસ્પતિક ભાગ જેવા કે ગાંઠો, પીલા, રાઇઝોમ્સ મૂળ, થડ કે પાનથી થાય છે. બીજમાંથી તૈયાર થતા નીંદણનો નાશ કરવો તથા વાનસ્પતિક ભાગથી તૈયાર થતા નીંદણ ખેડકાર્યો, હાથ નીંદામણ કે રાસાયણિક પધ્ધતિનો ઉપયોગ કરી ઉગવાની ક્ષમતા નષ્ટ કરી નિયંત્રણ કરવા જરૂરી છે.
























