aries agro

વાવણી પછી છોડનો વિકાસ થાય અને છોડના વિકાસની સાથે સાથે આપણી ખેતીના હઠીલા નિંદણો પાકને આપેલા બહુમુલ્ય ખાતરોમાં, પ્રકાશમાં, પાણીમાં ભાગ પડાવવા આવી જાય છે. નિંદણ વિશે ફરીવાર નોંધ કરી લ્યો.નિંદણ પણ વિવિધ પ્રકારના હોય છે. નિંદણને જીવનચક્રના આધારે વાર્ષિક, દ્રિવાર્ષિક અને બહુ વાર્ષિક નિંદણ હોય છે. પરંતુ બીજ દળ પ્રમાણે એકદળી અને દ્વિદળી એવા વિભાજન પણ કરી શકાય છે. દા.ત. એક દળી નિંદણમાં ધરો, સામો, બરુ અને દ્રિદળીમાં કણઝરો, પોપટી અને એકદાંડી આવે છે. આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મુખ્યત્વે એકદળી નિંદણમાં સામો, આરોતારો, લાંમડું, ધરો અને ચીઢાનો ઉપદ્રવ છે જયારે દ્વિદળી નિંદણમાં મુખ્યત્વે દારૂડી, લૂણી, ફૂલેકિયુ , ભાંગરો, કણઝરો, તાંદળજો, અંધેડો, ચીલ, ભોંય આંબલી, ભોંય રીંગણી, સાટોડો, દુધેલી, એકદાંડી, ઢીમડો, ચંદનવેલ, કુવાડીયો, કોંગ્રેસ ગ્રાસ, જળકુંભી અને નક્કુટીયાનો ઉપદ્રવ છે. નિંદણનો ફેલાવો પવન, પાણી, પ્રાણીઓ અને પક્ષીઓ, ખેતી ઓજારો, બીયારણ અને સેન્દ્રીય ખાતરો દ્વારા થાય છે. આમ જૂઓ તો આપણા પાકના દુશ્મન નિંદણની લગભગ ૩૦, ૦૦૦ જાતો છે. નિંદણને પાંદડાના આકાર પ્રમાણે પણ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. નિંદણ આપણા પાક સાથે હરિફાઈ કરીને આપણા પાકની સાથે ખોરાક પાણી તથા પ્રકાશની હરિફાઈ કરીને પોતાનું જીવન ચલાવે છે. નિંદણમાં બીજ પરિપકવ થાય ત્યારે પહેલા વાઢીને દૂર કરવા જરૂરી છે જેથી તેનો ફેલાવો અટકાવી શકાય છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

પાક વૃદ્ધિ ઉત્તેજકો કોને કહેવાય ?

જે પદાર્થ વનસ્પતિની વૃદ્ધિ તથા (વનસ્પતિની જૈવિક ક્રિયાઓ જેવી કે અભિક્રિયા અને ચયાપચય વધારવા ઉપર પ્રભાવ પાડે તેવા પદાર્થોને વૃદ્ધિ ઉત્તેજકો કહેવાય છે. દા.ત. દરેક પ્રકારના ઓકઝીન જેવા કે ૧-નેપ્થેલીન એસિટીક એસિડ

વધુ વાંચો....

ફોસ્ફરસ પૂરતું હોવા છતાં છોડમાં તેની ઉણપ કેવી રીતે હોઈ શકે?

કાગળ પર ફોસ્ફરસ પૂરતું હોવા છતાં છોડમાં તેની ઉણપ કેવી રીતે હોઈ શકે? ફોસ્ફરસની મોટાભાગની સમસ્યાઓ જથ્થાની નથી હોતી પણ તે છોડને ઉપલબ્ધ કેટલો થાય છે તે સમસ્યા છે. જમીનમાં પુષ્કળ પ્રમાણમાં

વધુ વાંચો....

મોસમ આવી મહેનતની

વર્ષા ઋતુ આવે એટલે મોસમ આવી મહેનતની , આપણા પાકના વધુ ઉત્પાદન માટે આપણે સમતોલ ખાતરનો ઉપયોગ કરીને આપણી આ વર્ષની ખેતીમાં સારું ઉત્પાદન લેવાનું છે ત્યારે આપણે જે તત્વો ખાતરના રૂપમાં

વધુ વાંચો....

સાચી અને સમયસરની સાચા મોલેક્યુલની દવા ન છાંટવામાં આવે તો ક્યાં ક્યાં રોગો આવે ?

સાચી અને સમયસરની સાચા મોલેક્યુલની દવા ન છાંટવામાં આવે તો ટામેટા આગોતરો સુકારો (Early blight), પાછોતરો સુકારો (Late blight), પાન પરના ડાઘ (Leaf spot) મરચાં એન્થ્રેકનોઝ (Anthracnose), સુકારો (Wilt), કોકડવાને લીધે થતી

વધુ વાંચો....

ચોમાસા દરમિયાન રોગોનું પ્રમાણ વધવા માટે ક્યાં પરિબળો જવાબદાર છે. ?

ચોમાસા દરમિયાન રોગોનું પ્રમાણ વધવા માટે કેટલાક પરિબળો જવાબદાર છે. હવામાં ઊંચો ભેજ ફૂગના બીજાણુઓ (spores) ને અંકુરિત થવામાં મદદ કરે છે. સતત પડતો વરસાદ પાંદડાને લાંબા સમય સુધી ભીના રાખે છે.

વધુ વાંચો....

ચોમાસું આવે એટલે ફૂગ, બેક્ટેરિયા અને અન્ય રોગકારકોને શા માટે વધુ આવે છે.

ચોમાસાની ઋતુ આવે એટલે જરૂરી વરસાદ લાવે છે જે પાકના વિકાસમાં મદદ કરે છે, ભૂગર્ભજળના સ્તરને સુધારે છે અને જમીનમાં ભેજ વધારે છે. જો કે, આ જ હવામાન ઘણી વનસ્પતિઓના રોગો માટે

વધુ વાંચો....

ફોસ્ફરસ ખાતર આપવાની રીત

ગુજરાત રાજ્યની મોટાભાગની જમીનમાં ફોસ્ફરસ પુરતા પ્રમાણમાં છે. તે જમીનમાં માટીના રજકણો સાથે જકડાયેલો હોય છે. તેથી પાકને તે સરળતાથી લભ્ય થઈ શકતો નથી. આવા અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવવા યોગ્ય ઉપાયો

વધુ વાંચો....

પોષક તત્વો : શાકભાજીના પાકોમાં પોષક તત્વો આપવા શા માટે જરૂરી ?

ઉત્તર ગુજરાતના લોહતત્ત્વની ઉણપવાળી જમીનમાં બટાટા ઉગાડતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત મલ્ટી માઈક્રોન્યુટ્રીઅન્સ મિક્સર ગ્રેડ-૨ (કે જેમાં લોહ ૬%, મેંગેનીઝ ૧%, ઝીંક ૪%, કોપર ૦.૩%

વધુ વાંચો....

આવી શોધ કરનારને દુનિયા મદદ પણ કરે છે.

આવી શોધ કરનારને દુનિયા મદદ પણ કરે છે. વિશ્વને હજુ ક્લાઈમેટ સામે લડે તેવી જરૂરિયાતને ધ્યાનમાં લઈને બેલ્જિયમની રેઈનબો ક્રોપ નામની કંપનીએ આબોહવા પરિવર્તન (Climate Change) સામે ટકી શકે તેવા અને વધુ

વધુ વાંચો....
aries agro
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks