કાગળ પર ફોસ્ફરસ પૂરતું હોવા છતાં છોડમાં તેની ઉણપ કેવી રીતે હોઈ શકે? ફોસ્ફરસની મોટાભાગની સમસ્યાઓ જથ્થાની નથી હોતી પણ તે છોડને ઉપલબ્ધ કેટલો થાય છે તે સમસ્યા છે. જમીનમાં પુષ્કળ પ્રમાણમાં ફોસ્ફરસ હોઈ શકે છે, છતાં પાક ભૂખ્યો રહી શકે છે. તેનો મોટો હિસ્સો માટીના કણો સાથે રાસાયણિક પ્રક્રિયા દ્વારા લૉક થયેલો હોય છે. તે કેલ્શિયમ, આયર્ન (લોખંડ) અથવા એલ્યુમિનિયમ દ્વારા પકડાયેલો હોય છે. એટલેકે તે હાજર તો હોય છે પરંતુ છોડના મૂળને તે અપ્રાપ્ય હોય છે.

મોસમ આવી મહેનતની
વર્ષા ઋતુ આવે એટલે મોસમ આવી મહેનતની , આપણા પાકના વધુ ઉત્પાદન માટે આપણે સમતોલ ખાતરનો ઉપયોગ કરીને આપણી આ વર્ષની ખેતીમાં સારું ઉત્પાદન લેવાનું છે ત્યારે આપણે જે તત્વો ખાતરના રૂપમાં

















