aries agro

જીવાત નિયંત્રણ માટે ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ કે જે ટૂંકમાં એનપીવી તરીકે ઓળખાય છે. ખાસ કરીને ફૂદા-પતંગિયાની ઈયળ અવસ્થા સામે એનપીવીનો ઉપયોગ થાય છે. આવા વિષાણુ આધારિત જૈવિક કીટનાશક જે તે જીવાત માટે ખાસ/વિશિષ્ટ પ્રકારના હોય છે. દા.ત. લીલી ઈયળ માટેનું એનપીવી ફક્ત લીલી ઈયળમાં જ રોગ પેદા કરે છે. તેની અસર લશ્કરી ઈયળ કે અન્ય કોઈપણ કીટકોની ઈયળ અવસ્થા પર જોવા મળતી નથી. બીટીની માફક એનપીવી પણ એક જઠરવિષ છે. તેથી તેનું જઠરમાં જવું જરૂરી છે. વિષાણુયુક્ત ખોરાક સાથે એનપીવી યજમાન કીટકના જઠરમાં પહોંચે છે. જીવાતના આંતરડામાં રહેલ આલ્કલાઈન માધ્યમમાં વિષાણુમાં રહેલ વિષ કણો આંતરડાની દિવાલ કોરીને જીવાતની દેહગૃહમાં પહોંચે છે. જીવાતને રોગ લાગુ પડતા તે મૃત્યુ પામે છે.
છંટકાવ માટે વિષાણુનું દ્રાવણ બનાવવા માટે વપરાતા પાણીમાં અમ્લતાનો આંક (PH) ૭.૫ કરતા વધુ હોવો જોઈએ નહિ. અમ્લતાનો આંક વધુ હોય તો વિષાણુનો નાશ થવાની શક્યતા રહે છે. વિષાણુ પાન પર ચોંટી રહે અને તેની અસરકારકતા લાંબો સમય જળવાઈ રહે તે માટે દ્રાવણમાં ‘ટીપોલ’ કે ‘સેન્ડોવીટ’ ભેળવવામાં આવે છે. એનપીવીનો છંટકાવ હંમેશા સાંજના સમયે ઠંડે પહોરે કરવો હિતાવહ છે. વિષાણુનું દ્રાવણ સૂર્યપ્રકાશથી દૂર રાખવું જોઈએ. લાંબા સમય સુધી તેનો સંગ્રહ કરવો હોય તો અંધારામાં ઠંડકવાળી જગ્યાએ સંગ્રહ કરવો. એનપીવીનો છંટકાવ હંમેશા જીવાતની નાની અવસ્થા હોય ત્યારે કરવાથી તેની અસરકારકતા વધુ જોવા મળે છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

બેસીલસ થુરીન્જીન્સીસ બીટી જીવાણું – કૃષિવિજ્ઞાન ટીપ્સ

વિવિધ રોગકારકોમાં જીવાણુ (બેકટેરીયા) થી જીવાતોમાં થતા રોગનું સૌથી વધુ મહત્વ રહેલું છે. જુદા જુદા જીવાણુઓ પૈકી બેસીલસ થુરીન્જીન્સીસ કે જે ટૂંકમાં બીટી તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ ….

વધુ વાંચો....

મિત્ર કીટક ક્રાયસોપા ખુબ ઉપયોગી – કૃષિવિજ્ઞાન ટીપ્સ

મિત્ર કીટક ક્રાયસોપા (ક્રાયસોપર્લા) એ મોલોનું અગત્યનું પરભક્ષી કીટક ગણાય છે. જો કે મોલો ઉપરાંત તે થ્રિપ્સ, તડતડીયાં, ચિકટો (મીલીબગ) અને પાનકથીરી જેવી પોચા શરીરવાળી જીવાતો ….

વધુ વાંચો....

પુસા-ડિકોમ્પોઝરના ફાયદા

 જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં સુધારો કરે છે કારણ કે વિઘટિત થયેલી પરાળ ખાતર તરીકે કામ કરે છે જેથી ભવિષ્યમાં ખાતરનો ઓછો વપરાશ થાય છે. • આ એક કાર્યક્ષમ, અસરકારક અને સસ્તી, કરી

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોફેજી ચક્રના તબક્કો – ૨: સૂક્ષ્મજીવો જમીનમાંથી પોષક તત્વો એકત્રિત કરે છે (૮)

સૂક્ષ્મજીવો છોડના મૂળમાં રાઇઝોસ્ફિયરમાં પહોંચ્યા પછી જમીનમાં ફરી ફરીને નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન, ઝીંક, મેગ્નેશિયમ અને અન્ય પોષક તત્વો પોતાના કોષોમાં એકત્રિત કરે છે. તેઓ એવા વિસ્તારોમાંથી પણ પોષક તત્વો મેળવી શકે છે

વધુ વાંચો....

કઠોળ પાક જમીનને કેમ ફળદ્રુપ બનાવે ?

કઠોળપાકને કુદરતે અર્ધ સ્વાવલંબી બનાવી મૂળિયામાં એવી કરામત ગોઠવીને લેગ્યુમ બેક્ટેરિયાનો વાસ કરાવેલ છે કે નાઇટ્રોજનનો ઘણોબધો જથ્થો એ હવામાંથી બારોબાર ખેંચી મૂળની ગાંઠોમા સંગ્રહે છે. જે પોતે તો વાપરે જ છે

વધુ વાંચો....

સાયલેજ પાકની લણણી

સાયલેજ બનાવવા માટે પાકની પસંદગી કર્યા બાદ પાકને કયા તબક્કે કાપવો એ ઘણું અગત્યનું પરિબળ છે, જેથી કરીને પાકમાંથી આપણને મહત્તમ પોષકતત્ત્વો મળે. લણણીના સમયે પાકમાં શર્કરા (કાર્બોહાઈડ્રેડ) નું પ્રમાણ પણ મહત્તમ

વધુ વાંચો....

બદલાતી પરિસ્થિતિમાં ખેતીમાં બદલાવ -2

સેન્દ્રિય પર્દાર્થોનું મલ્ચિંગ/આવરણ તરીકે વાપરીને જમીનમાંથી ભેજ ઉડી જતો અટકાવાવથી બે વરસાદ વચ્ચે ગાળો લંબાય તો પણ પાક ટકી શકે. હારમાં વવાતા પાકો ઢાળની આડી દિશામાં વાવીને હાર ફરતે પાળો ચડાવવાથી વરસાદનું

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોફેજી ચક્રના તબક્કો – ૧ : સૂક્ષ્મજીવો મૂળની આસપાસ એકત્ર થાય છે (૭)

છોડ પોતાના મૂળ આસપાસની જમીનમાં શર્કરા, એમિનો એસિડ અને સેન્દ્રિય એસિડ જેવા વિવિધ સ્ત્રાવો છોડે છે. આ સ્ત્રાવો રાસાયણિક આમંત્રણ તરીકે કાર્ય કરે છે અને ફાયદાકારક બેક્ટેરિયા તથા ફૂગને રાઇઝોસ્ફિયરમાં આકર્ષે છે.

વધુ વાંચો....

શા માટે બાયોચાર વાપરવો જાેઈએ ?

બાયોમાસ આધારિત ઊર્જાના મહત્તમ ઉત્પાદન માટે પાકના બાકી રહેલા અવશેષોને જમીનમાંથી દૂર કરવાથી જમીનમાં રહેલા જૈવિક કાર્બનમાં ઘટાડો થાય છે અને તેથી જમીનની ફળદ્રુપતા પર નકારાત્મક અસર થાય છે. આ હેતુસર પાકના

વધુ વાંચો....

વરસાદ અને હવામાનની અફરાતફરીમાં ખેતીમાં શું બદલાવ કરવો ?

હાલની મોટાભાગની ખેતીમાં બધા જ પાકો ‘મોસમી’ હોવાથી ઉત્પાદન મળે કે ન મળે, વાવીએ છીએ થોડા વર્ષો થી જ્યારે વરસાદ અને હવામાનની અફરાતફરી શરૂ થઇ છે ત્યારે આપણી ખેતીમાં ફળ-વૃક્ષોને ભાગીદાર બનાવવાની

વધુ વાંચો....

ખેતીમાં જમીનનું ઉષ્ણતામાન

• વાવણી સમયે બીજના ઊગાવાને અસર કરે છે. તાપમાનને ધ્યાને લઈ વાવણી કરવી કે નહીં તે નક્કી કરી શકાય છે.• કંદ અને મૂળમાં થતી ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે.• વધુ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks