aries agro

મોટા ભાગની ખેત પેદાશોના માર્કેટિંગમા ખેડૂત અને ગ્રાહક વચ્ચે ઘણી સંસ્થા, વ્યક્તિઓ જોડાયેલ હોય છે. ખેત પેદાશ જ્યારે ખેડૂતથી અંતિમ ગ્રાહક સુધી પહોંચે છે ત્યાં સુધીમા કમિશન એજન્ટ, બ્રોકર, દલાલ અને જથ્થાબંધ વેપારી વગેરેના હાથોથી પસાર થાય છે. આ દરમ્યાન ખેત પેદાશમાં વિવિધ ખર્ચ અને વચેટિયાઓનો નફો વધતા, ખેત પેદાશોના અંતિમ મૂલ્યમા પણ વધારો થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, ખેડૂતો બટેટા બજારમા ૧૨ રૂપિયા પ્રતિ કિલો વેંચે છે, જયારે અંતિમ ગ્રાહક બટેટા લેવા જાય તો, તે પ્રતિ કિલો ૨૦ રૂપિયાથી ખરીદી કરે છે. આમ ૮ રૂપિયા પ્રતિ કિલો, જે ગ્રાહકની કિંમતમાં ૪૦% ભાગ થાય, એ વચેટિયા અને વેપારીઓ દ્વારા લેવામાં આવતો હોય છે. સરવાળે ગ્રાહકોને મોંઘું મળે છે અને ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી. હવે, આજના સમયમાં ખેત પેદાશોના વેચાણમાં આમુલ પરીવર્તનની જરૂર છે. આ માટે નીચે મુજબના સૂચનને આવકારવા પડશે. • ખેડૂતોએ બજારની સ્પર્ધામાં ટકી રહેવા અને ભાવની સોદાબાજીમાં પ્રભુત્વ મેળવવા માટે સહકારી મંડળી અને ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO) દ્વારા એક જૂથ થઈને ઉત્પાદનોનું વેંચાણ કરવું જોઈએ • ખેડૂત ભાઈઓએ વધુ ભાવ મેળવવા ડાઈરેક્ટ માર્કેટિંગ (અંતિમ ગ્રાહકોને સીધેસીધું વેંચાણ) અપનાવવું પડશે. જે અંતર્ગત ફળ-શાકભાજી, અનાજ અને કઠોળને ફાર્મર્સ માર્કેટ, યુપીક માર્કેટ,ખેતર નજીક પસાર થતાં મુખ્ય રસ્તા પાસે સ્ટેન્ડ બનાવી, રેસ્ટોરન્ટ, શાળા અને કોલેજો વગેરેમાં વેંચાણ કરવું જોઈએ. કરાર આધારિત ખેતી પદ્ધતિ અપનાવી, અગાઉથી જ નક્કી કરેલા ભાવે ઉત્પાદક કંપની, વેપારી તથા નિકાસકારોને વેંચાણ કરવું જોઈએ. • નાના અને સીમાંત ખેડૂતોએ પોતાની ખેત પેદાશોને એક સાથે અને સામૂહિક જથ્થામાં નજીકના બજારમાં વેંચાણ અર્થે જવું જોઈએ. જેથી, વેંચાણને લગતા ખર્ચ ઓછા કરીને નફામાં વધારો કરી શકીએ

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

આબોહવાના બદલાવની કૃષિ પાકો ઉપર થતી અસરો

આબોહવાના બદલાવની કૃષિ પાકો ઉપર થતી અસરો • પૃથ્વીના વાતાવરણમાં અંગારવાયુનું (co2) પ્રમાણ વધવાને કારણે ઘઉં અને ડાંગર જેવા પાકોમાં વૃદ્ઘિ અને વિકાસ વધુ અને પાણીનું બાષ્પીભવન ઓછું જોવા મળશે. તેમ છતાં

વધુ વાંચો....

આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ

આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ • કૃષિમાં ખાસ કરીને ઊંચા તાપમાન, ક્ષારીય જમીનો, વારંવાર પૂર તથા દુષ્કાળની આફતો સામે ટકી શકે તેવા પાકો અને તેની જાતોની વાવણી કરવી. • હવામાન આગાહી તથા

વધુ વાંચો....

કૃષિ ટેકનોલોજી : તણાવ સહનશીલતા માટે સ્પીડ બ્રીડીંગ

પંજાબ કૃષિ યુનિવર્સિટી (PAU) એ તેના પ્લાન્ટ બ્રીડિંગ અને જિનેટિક્સ વિભાગ ખાતે આ વધતી જતી ગરમી સામે ખેતી પાકોની સહનશીલતા વધારવા અંગેનો એક સેમિનાર “તણાવ સહનશીલતા વિકસાવવા માટે અદ્યતન સંવર્ધન વ્યૂહરચનાઓ’ આ

વધુ વાંચો....

ફાર્મ ઈનપુટ : ચીકણા પિંજર – સ્ટીકી ટ્રેપની ઉપયોગિતા

ડો.બી.જી.પ્રજાપતિ, નિવૃત્ત કિટકશાસ્ત્રી,૨૩, સૌન્દર્ય પેલેસ, અવસર પાર્ટી પ્લોટની પાછળ, મોઢેરા રોડ, મહેસાણા – ૩૮૪૦૦૨, મોબાઈલ : ૯૪૨૭૩ ૭૫૦૯૩ ચીકણા પિંજર (સ્ટીકી ટ્રેપ) શું છે ? ચીકણા પિંજર (સ્ટીકી ટ્રેપ) એ એક કલર્ડ

વધુ વાંચો....

બાયોચાર કેવી રીતે અસરકારક બને છે

બાયોચાર – 1 જ્યારે પવન હળવો હોય ત્યારે યોગ્ય હવામાન પરિસ્થિતિઓ હેઠળ બાયોચાર લાગુ કરો. હળવા વરસાદની સ્થિતિમાં બાયોચાર લાગુ કરવું પણ મદદરૂપ થઈ શકે છે જ્યાં હળવા વરસાદથી બાયોચારની ધૂળ ભીની

વધુ વાંચો....

હળદર ઉપચાર (કયોરિંગ)ની પરંપરાગત પદ્ધતિ

ઉપચારની પરંપરાગત પદ્ધતિમાં, સાફ કરેલા રાઇઝોમ્સને જ્યાં સુધી સંપૂર્ણ ડૂબે નહિ ત્યાં સુધી પાણી નાખીને ઉકાળવાની શરૂઆત કરવામાં આવે છે. જ્યારે થોડી તદ્દન અલગ પ્રકારની સુગંધ આવે અને સફેદ ફીણ આવવા લાગે

વધુ વાંચો....

વૃક્ષોમાં કેળવણી પ્રક્રિયા એ શું છે ?

વૃક્ષના રોપા કે કલમને જમીનમાં રોપણી કર્યા પછી તે યોગ્ય રીતે વધે, વિકસે, ઉંચું જાય અને વ્યવસ્થિત ઘટા બંધાય તે માટેની ખેડૂતો તરફથી રખાતી તકેદારીને ‘ કેળવણી ’ કહેવાય. ઝાડનું થડ નમી

વધુ વાંચો....

આધુનિક નિંદામણનાશકો

આધુનિક ખેતીમાં ખેડૂતો નીંદણનાશક રસાયણો વાપરતા થયા છે. ભાલમણ ન હોય અને વાપરવામાં આવે તો પાક પર તેની વિપરીત અસર થવાની સંભાવના રહે છે. જેમ કે ઘઉંના પાકમાં કલોડીનાફોટા પ્રોપારજીલ વાપરવાની ભલામણ

વધુ વાંચો....

બ્રોકલીની ખેતી માટે જમીનની જરૂરીયાત 

બ્રોકલી ને બધા જ પ્રકારની જમીન માફ્ક આવે છે તેમ છતાં ફ્ળદ્રુપ, સારા નિતારવાળી અને પાણીનો ભરાવો ન થાય તેવી રેતાળ ગોરાડુ અને બેસર જમીન વધારે માફક આવે છે. જમીનનો પીએચ ૬-૭

વધુ વાંચો....

ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસમાં પરાગનયન કેવી રીતે કરવું?

આપણ ને ખબર છે કે ટામેટાનાં ફૂલોમાં દરેક ફૂલની અંદર નર અને માદા બંને ભાગ હોય છે.. ખુલા ખેતર ની જતી અલગ હોય છે , ખુલા ખેતરમાં પવન , મધમાખી વગેરે ફલીની

વધુ વાંચો....

વાલોળ માટે ખાતરની જરૂરિયાત

આ પાકનો જીવનકાળ લાંબો હોવાથી હેક્ટરે ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આપવું. આ પાક કઠોળ વર્ગનો પાક હોવાથી નાઈટ્રોજનયુકત ખાતરની ખાસ જરૂરિયાત રહેતી નથી. આમ છતાં રાસાયણિક ખાતરોમાં પ્રતિ

વધુ વાંચો....

લસણની રોપણી, રોપણી અંતર અને બીજનો દર

લસણનું ઉત્પાદન રોપાણ જગ્યા અને જાત પર આધાર રાખે છે, સામાન્ય રીતે બે ચાસ વચ્ચે ૧૦ સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે ૭.૫ સે.મી. નું અંતર રાખી રોપણી કરવી, અંતર ઓછું રાખવાથી

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks