aries agro

ગાજરઘાસ વર્ષાયુ, પ્રકાશ અને તાપમાન અસંવેદનશીલ, દ્વિદળી નીંદણ છે. તેનું પ્રસર્જન મુખ્યત્વે બીજથી થાય છે. એક છોડમાં ૫,૦૦૦ થી ૧૦,000 બીજ પેદા થાય છે. આ સિવાય જ્યારે માતૃછોડથી. પ્રકાંડ કપાઈ જાય ત્યારે તેની મુકુટકલિકામાંથી નવો છોડ ફૂટે છે. ચોમાસામાં ઊગે છે અને શિયાળામાં પણ વૃદ્ધિ ચાલુ રહે છે. ઉનાળામાં વૃદ્ધિ ગંઠાઈ જાય છે. આ નીંદણનો ઉપદ્રવ ખાસ કરીને રસ્તાની બાજુમાં, રહેણાંક કે અન્ય પડતર જમીનોમાં જોવા મળે છે. પાક વિસ્તારમાં બહુ ઉપદ્રવ હોતો નથી, પરંતુ હવે ઘણાં પાકમાં જોવા મળે છે. તેમાં રહેલ ઝેરી તત્ત્વ “પાર્થેનીન’ના કારણે માણસમાં ચામડીના અને માનસિક તણાવના એલર્જીક રોગો થાય છે. તેની પરાગરજ ખૂબ જ હાનિકારક હોય છે. પશુઓમાં પણ ઘણાં રોગો થાય છે. 

ગાજરઘાસના નિયંત્રણ માટે સંકલિત ઉપાયો :

  • નવા વિસ્તારમાં ગાજરઘાસ જોવા મળે ત્યારે તેને હાથથી ઉખેડવાની ઝુંબેશ કરવાની ભલામણ છે. આ માટે સ્વયંસેવકોએ હાથમોજા પહેરવા અને ચોકસાઈ કરવી કે છોડ મુકુટ વિસ્તાર સુધી ઊખડી ગયેલ છે 
  • ગાજરઘાસ પ્રસ્થાપિત થયેલ હોય તેવા વિસ્તારમાં નીંદણના કાર્યશીલ વૃદ્ધિકાળ દરમ્યાન ૨,૪ ડી (સોડીયમ સોલ્ટ ) ૫૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મેળવી છોડ પર છંટકાવ કરવો.
  • ડાયક્વોટ અથવા ગ્લાયફોસેટ ૧.૦% (૧૦૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી)નો છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ કરી શકાય છે.
  • આ સિવાય મેટ્રીબ્યુઝીન ૦.૫% (૫૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી) અથવા મેટસક્યુરોન ૧ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં અથવા ક્લોરીબ્યુરોન ૧ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મેળવી છંટકાવ કરી શકાય. 
  • પાક વિસ્તારમાં જે તે પાકમાં ભલામણ થયેલ દવાઓ જેવી કે એટ્રાઝીન, સીમાઝીન, એલાક્લોર, બ્યુટાક્લોર, ડાયુરોન, નાઈટ્રોન વગેરે પાક અને નીંદણ ઊગ્યા પહેલાં છાંટવાથી ગાજરઘાસનું રથી ૫ મહિના સુધી અસરકારક નિયંત્રણ કરી શકાય છે.
  • પડતર વિસ્તારમાં ગાજરઘાસનું પ્રતિસ્થાપન કરવા કુવાડીયો, સરપંખો, આવળ, ગલગોટાનું વાવેતર કરવું.

સાભાર ડો. આર.કે. માથુકીયા

aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો

વધુ વાંચો....

તલનો પર્ણગુચ્છ/ ફાયલોડી

આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા ફોસ્ફામીડોન ૪૦ એસએલ 15 મિલિ 15 લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.

વધુ વાંચો....

બાયોચાર વિશે જાણો

બાયોચાર જમીનની ફળદ્રુપતા, પાકની વૃદ્ધિ, ઉપજ પર સકારાત્મક જયારે ઝીણા બાયોચાર કણો માનવ સ્વાસ્થ્ય પર માટે નકારાત્મક એમ બંને રીતે અસર કરે છે. બાયોચાર ઉત્પાદન માટે બાયોમાસ (કૃષિ અવશેષો) ની મોટી માંગનો

વધુ વાંચો....

બાજરી/જુવાર/મકાઈ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે ?

બાજરી/જુવાર/મકાઈ માટે નિંદામણનાશકની ભલામણ દવાનું સામાન્ય તથા વ્યાપારી નામ દવાનું પ્રમાણ હેક્ટરે 15 લિટર પાણીમાં દવાનું પ્રમાણ છંટકાવનો સમય ગ્લાયફોસેટ (ગ્લાયસેલ 41% એસએલ) 2.460 કિ.ગ્રા. (6.000 લિ.) 160 મિ.લી. બિનપાક પરિસ્થિતિમાં નીંદણની

વધુ વાંચો....

ગુલ્લીદંડા – નીંદણોનું નિયંત્રણ : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

નીંદણોનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા, શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ (મો.)

વધુ વાંચો....

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-2

પ્રિ-પ્લાન્ટ : કોઇપણ પાકમાં પાકની વાવણી કે રોપણી પહેલા જમીનના ઉપરના સ્તર પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. નીંદણનાશક દવાની અસરકારકતા વધારવા છંટકાવ બાદ પંજેઠી વડે જમીનના ઉપરના સ્તરમાં ભેળવી દેવામાં

વધુ વાંચો....

નિંદણ : નીંદણ નિયંત્રણના વિવિઘ ઉપાયો

 અવરોઘક ઉપાયો : નીંદણ નિયંત્રણની આ પધ્ધતિમાં નીંદણના બીજ યા પ્રસર્જન માટે વાનસ્પતિક ભાગો ઉપદ્રવિત વિસ્તારમાંથી નીંદણમુક્ત વિસ્તારમાં ન ફ્લાય તેવા ઉપાયો કરવામાં આવે છે જે ઓછા ખર્ચાળ અને સરળતાથી અપનાવી શકાય

વધુ વાંચો....

નીંદણનાશક દવા ભલામણ કરેલ જથ્થા કરતા જો વધારે વાપરવામાં આવે તો……

* દવાની ઝેરી અસરને લીધે પાક અંશતઃ અથવા સંપૂર્ણ નાશ પામે છે. * પાકના વિકાસ અને વૃદ્ધિ પર માઠી અસર થતા ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. * જમીનમાં નીંદણનાશક દવાના અવશેષોની માત્રા

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks