aries agro

ચીઢો નીંદણને છૈયા  કહે છે, તેનું અંગ્રેજી નામ નટસેજ (nutsedge) છે. ચીઢાની અનેક પ્રજાતિઓ છે, તે પૈકી આપણાં વિસ્તારમાં સાયપ્રસ રોટડસ (Cyperus rotundus) નામની પ્રજાતિ જોવા મળે છે, જે ગુલાબી ચીઢો (yellow nutsedge) તરીકે પણ ઓળખાય છે. ચીઢો બહુવર્ષાયુ, ઊંડા મૂળ ધરાવતું, એકદળી નીંદણ છે. બધી જ જગ્યાએ, બધા જ પાકોમાં અને બધી જ ઋતુઓમાં થાય છે, જો કે શિયાળામાં ઓછી વૃદ્ધિ હોય છે. બધા જ પ્રકારની જમીનમાં થાય છે, પથરાળ જમીનમાં પણ થાય છે. ભારે કાળી, ચીકણી, ફળદ્રુપ અને ભેજવાળી જમીન વધુ માફક આવે છે. તેનું પ્રસર્જન અને ફ્લાવો મુખ્યત્વે કંદ દ્વારા ૯૦ – ૯૫% અને બીજ દ્વારા ૫-૧૦% થાય છે. જમીનમાં ચીઢાના એક છોડને ૨-કંદની સાંકળ હોય છે. સાનુકૂળ પરિસ્થિતિમાં એક ચોરસ ફૂટ વિસ્તારની જમીનમાં ચીઢાના પ૬ નવા છોડ અને ૨૬૦ નવા કંદ ઉત્પન્ન થઈ શકે છે. એક માતૃ કંદમાંથી એક મહિનામાં ૪ અન્ય કંદ ઉત્પન્ન થાય છે, આમ, ૩ મહિનામાં કંદની વસ્તી અંદાજે ૧૦૦ સુધી પહોંચે છે. ચીઢોના પાન લીસા તેમજ જાડા હોવાથી દવા પાન પર ટકી શકતી ન હોઈ, પાન દ્વારા બરાબર શોષતી નથી. ઉપરાંત જમીનમાં કંદની હારમાળા હોઈ, શોષાયેલ દવા માંડ એકાદ-બે કંદ સુધી પહોંચે છે. તેથી બાકીના કંદમાંથી નવો છોડ ફૂટે છે. આમ તો ચીઢોનું સંપૂર્ણ રીતે નિયંત્રણ કરવું શક્ય નથી, તેમ છતાં સંકલિત ઉપાયોથી ચીઢોને કાબુમાં રાખી શકાય છે. 

  • ઉનાળામાં ઊંડી ખેડ કરી સૂર્યના સખત તાપમાં જમીન તપાવવી. જમીનમાંથી ઉપર આવેલ કંદ ૧૪ દિવસ સૂર્યના તાપમાં રહે તો સુકાઈ જાય છે. કંદમૂળીયા ભેગા કરી નાશ કરવો. શક્ય હોય તો મે-જૂન માસમાં જમીન પર પ્લાસ્ટિક આવરણ પાથરી ૧૫ દિવસ જમીનનું સૌરકરણ કરવું. 
  • વારંવાર ખેડ કરી ચીઢો -છોડનો નાશ કરવો, જેથી જમીનની અંદર રહેલ કંદમાં સંગ્રહિત ખોરાક ખાલી થાય અને કંદ ધીમે ધીમે ઉપર આવે.
  • ચીઢો છયા સંવેદનશીલ હોઈ, છાંયાવાળા પાકો જેવા કે જુવાર, તુવેર, એરંડાનું વાવેતર કરવું. ચીઢો વાળી જમીન પર ઘઉંનું કુંવળ પાથરવું.
  • ચીઢો નીંદણની ૩-૪ પાન અવસ્થાએ ગ્લાયફોસેટ ૪૧% એસ.એલ. અથવા ગ્લાયફોસેટ ૭૧% એસ. જે. દવા ૧૨૦ મિ.લિ. સાથે ૧૦૦ થી ૧૫૦ ગ્રામ એમોનિયમ સલ્ફટ કે યુરીયા ૧૦ લિટર પાણીમાં ઓગાળી નીંદણ હોય તેટલાં ભાગમાં નીંદણ બરાબર ભીંજાય તે રીતે દ્રાવણનો છંટકાવ કરવો.
  • ઉપરાંત  – ગ્લફોસીનેટ એમોનિયમ. દવા ૧૨૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે ચીઢાવાળા ભાગમાં છાંટવાથી નિયંત્રણ કરી શકાય છે. 
  • ગ્લાયફોસેટ અને ગ્લફોસીનેટ એમોનિયમ અવર્ણાત્મક દવાઓ હોઈ, ઊભા પાકમાં છાંટી શકાય નહીં. જો કે પહોળા અંતરે વવાતા પાકોમાં પાક પર દવા ન પડે તે રીતે નિર્દેશિત છંટકાવ કરી શકાય.
  • છંટકાવ સમયે જમીનમાં ભેજ હોવો જોઈએ. છંટકાવ પછી જમીનમાં રહેલ કંદમાથી નીકળતા નવા છોડમાં પાન દેખાય ત્યારે ફરીથી છંટકાવ કરવો. છંટકાવ બાદ ૨૦ દિવસ સુધી કોઈ ખેતી કાર્ય કરવા નહીં.
  • હેલોસલ્ફ્યુરોન-મિથાઈલ નામની દવા ખાસ ચીઢો માટે જ નોંધાયેલ છે. ચીઢોના નિયંત્રણ માટે પાક ન હોય ત્યારે હેલો ફ્યુરોન-મિથાઈલ ૭૫% ડબલ્યુ.જી. દવા ૧.૮ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે નીંદણ હોય તેટલાં ભાગમાં નીંદણ બરાબર ભીંજાય તે રીતે દ્રાવણનો છંટકાવ કરવો. ફરીથી ઊગેલ ચીઢોના છોડ પર ૧ થી ૨ માસે બીજો છંટકાવ કરવો. દવા છાંટ્યા બાદ 3 મહિના સુધીમાં કોઈપણ પાક લેવો નહીં. મકાઈ અને શેરડી સિવાય ઊભા પાકમાં આ દવા છાંટી શકાતી નથી.
  •  ખેતરમાં કોઈ પાક ન હોય ત્યારે હેલોસક્યુરોન મિથાઈલ ૭૫% ડબલ્યુ.જી. ૦.૯ ગ્રામ તથા ગ્લાયફોસેટ ૪૧% એસ.એલ. ૬૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણી પ્રમાણે ટાંકીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. જરૂર જણાયે બીજો છંટકાવ કરવો. દવા છાંટ્યા બાદ ૩ મહિના સુધીમાં કોઈપણ પાક લેવો નહીં.
  •  બિન-પાક પરિસ્થિતિમાં પૂર્વ-મિશ્રીત દવા ઓક્સીફ્લોર ૨.૫% + ગ્લાયફોસેટ ૪૧% એસ.સી. ૮૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે ચીઢો હોય તે વિસ્તારમાં છંટકાવ કરવાથી ચીઢોનું નિયંત્રણ થઈ શકે છે. 
  • આ સિવાય ઈથોકસી સક્યુરોન (ડાંગર અને શેરડીમાં), બેનસફ્યુરોન (ડાંગરમાં), એઝીમસક્યુરોન (ડાંગરમાં), પાયરોઝાસક્યુરોના (ડાંગરમાં), બેન્ટાઝોન (સોયાબીન અને ડાંગરમાં), ક્લોરીબ્યુરોન (સોયાબીનમાં), સલ્ફન્ટ્રાઝોના (શેરડીમાં), ઈમાઝથાપાયર (સોયાબીનમાં), મેટસક્યુરોન (ઘઉં, શેરડી અને ડાંગરમાં), ટ્રાયફ્લોક્સીસફ્યુરોન (કપાસ અને શેરડીમાં), ઈમાઝોફ્યુરોન (ડાંગરમાં) દવાઓ પણ ચીઢોનું અમુક અંશે નિયંત્રણ કરે છે.

સાભાર ડો. આર.કે. માથુકીયા

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ખેતી પાકોમાં કૃમિથી જીવાત નિયંત્રણ

આજના ઝડપી યુગમાં મોટાભાગના માણસો માનતા હોય છે કે, ફકત રાસાયણિક જંતુનાશક દવાથી જ જીવાતોનું ઝડપી અને સફળ નિયંત્રણ થઇ શકે છે. પરંતુ વાસ્તવમાં હકીક્ત તદન જુદી છે. જૈવિક નિયંત્રણ ભલે ધીમી

વધુ વાંચો....

મકાઈ : મકાઈમાં રાસાયણિક ખાતર

હેક્ટરે ૧૬૦ કિલો નાઈટ્રોજન અને ૨૦ કિલો ફોસ્ફરસ આપવું. આ માટે પાયામા ૪૪ કિલો યુરિયા અને ૭૦ કિલો ડી.એ.પી. તથા ૪ પાન અને ૮ પાન અને ચમરી એમ દરેક અવસ્થાએ ૮૭ કિલો

વધુ વાંચો....

કૃષિ માહિતી : કપાસમાં ટૂંકા ગાળે  વાવેતર પદ્ધતિ એટલે શું ?  

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ (હાઇ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ -HDPS) એ એક નવી ખેતી પદ્ધતિ છે, જેણે વિશ્વભરમાં, ખાસ કરીને ચીન, ભારત, તુર્કી, બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોમાં કપાસની ખેતીમાં લોકપ્રિયતા મેળવી છે.

વધુ વાંચો....

ગુલ્લીદંડા – નીંદણોનું નિયંત્રણ : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

નીંદણોનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા, શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ (મો.)

વધુ વાંચો....

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-2

પ્રિ-પ્લાન્ટ : કોઇપણ પાકમાં પાકની વાવણી કે રોપણી પહેલા જમીનના ઉપરના સ્તર પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. નીંદણનાશક દવાની અસરકારકતા વધારવા છંટકાવ બાદ પંજેઠી વડે જમીનના ઉપરના સ્તરમાં ભેળવી દેવામાં

વધુ વાંચો....

નિંદણ : નીંદણ નિયંત્રણના વિવિઘ ઉપાયો

 અવરોઘક ઉપાયો : નીંદણ નિયંત્રણની આ પધ્ધતિમાં નીંદણના બીજ યા પ્રસર્જન માટે વાનસ્પતિક ભાગો ઉપદ્રવિત વિસ્તારમાંથી નીંદણમુક્ત વિસ્તારમાં ન ફ્લાય તેવા ઉપાયો કરવામાં આવે છે જે ઓછા ખર્ચાળ અને સરળતાથી અપનાવી શકાય

વધુ વાંચો....

નીંદણનાશક દવા ભલામણ કરેલ જથ્થા કરતા જો વધારે વાપરવામાં આવે તો……

* દવાની ઝેરી અસરને લીધે પાક અંશતઃ અથવા સંપૂર્ણ નાશ પામે છે. * પાકના વિકાસ અને વૃદ્ધિ પર માઠી અસર થતા ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. * જમીનમાં નીંદણનાશક દવાના અવશેષોની માત્રા

વધુ વાંચો....

ડાંગરમાં નીંદણ નિયંત્રણ 

* રોપાણ ડાંગરમાં અસરકારક નીંદણ નિયંત્રણ માટે ફેરરોપણી બાદ ૩૦ દિવસે એક વખત હાથ નીંદામણ શક્ય ન હોય તો ફેરરોપણી બાદ પાંચમા દિવસે બેન્થિઓકાર્બ હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. સક્રિય તત્ત્વ પ્રમાણે આપવું.

વધુ વાંચો....

નીંદણનાશક દવા અન્ય કૃષિ-રસાયણોથી અલગ પડે છે, કારણ કે……

કોઇપણ દવાની અસરકારકતા ફે સફ્ળતાનો મુખ્ય આધાર તે દવા ક્યારે (સમય), કેવી રીતે (પદ્ધતિ-રીત) અને કેટલી (જથ્થો) છાંટવી તેના પર રહેલા છે. નીંદણનાશક દવાઓના છંટકાવના જથ્થામાં થોડો ઘણો ફેરફાર કે ક્ષતિ રહી

વધુ વાંચો....

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ -1 

પ્રિઈમરજન્સ : કોઈપણ પાકમાં પાકની વાવણી સમયે કે વાવણી બાદ પાકના કે નીંદણના સ્ફૂરણ પહેલાં જમીન પર ભેજ હોય ત્યારે નીંદણનાશક દવા છાંટવાની પધ્ધતિને પ્રિઈમરજન્સ કહેવામાં આવે છે. જમીનમાં પૂરતો ભેજ હોવાના કારણે

વધુ વાંચો....
aries agro
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks