આજે એક વાચક મિત્રનો જવાબ . જે વિસ્તારમાં વરસાદ વધુ પડે ત્યાં સપાટ ક્યારા હોય તો તે જમીન પર ઉગાડેલ પાકમાં પાણી ભરાઈ રહેવાથી છોડની દેહધાર્મિક ક્રિયાઓ અટકવાથી વૃદ્ધિ અને વિકાસ પર માઠી અસર થાય જેથી પાક ઉત્પાદન ઘટે. આપણને ખબર છે કે જ્યારે જમીનમાં પાણી ભરાય જાય છે ત્યારે આપણી ખેતીને કેટલું નુકશાન થાય છે કારણકે માટીના કણો વચ્ચે જ્યાં જગ્યા હતી ત્યાં ઓક્સીજન હતો અને તે આપણા છોડના મૂળને મદદ કરતો હતો પણ વધુ વરસાદ થી માટીના છિદ્રોમાં પાણી ભરાઈ જાય છે, જેથી મૂળ વિસ્તારમાં ઓકિસજનની અછત સર્જાઇ છે, જેના કારણે છોડને ઓકિસજનનો તણાવ અનુભવાય છે. સંવેદનશીલ છોડો (જેમ કે મરચી, ટમેટા, સોયાબીન અને સૂર્યમુખી) મરી જાય છે, જ્યારે સહનશક્તિ ધરાવતા પાક (જેમ કે ચોખા) એક નિશ્ચિત સમય સુધી પાણી ભરાવાની સ્થિતિ સહન કરે છે. જો વધારે સમય સુધી પાણી ભરાયેલું રહે તો છોડ મરી જાય છે અને સડવા લાગે છે.
પાકમાં પાણી ભરાઈ રહેવાથી છોડ ઉપર શું અસર થાય છે.
આજે એક વાચક મિત્રનો જવાબ . જે વિસ્તારમાં વરસાદ વધુ પડે ત્યાં સપાટ ક્યારા હોય તો તે જમીન પર ઉગાડેલ પાકમાં પાણી ભરાઈ રહેવાથી છોડની દેહધાર્મિક ક્રિયાઓ અટકવાથી વૃદ્ધિ અને વિકાસ પર
















