હરિયાળી ક્રાંતિના ઉદય પછી કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારાની સાથે સાથે કૃષિ રસાયણોનો પણ વપરાશ વધવા પામ્યો છે. ખાસ કરીને કૃષિ પાકોમાં આવતા વિવિધ જીવાત-રોગ અને નીંદણના નિયંત્રણ માટે જુદા જુદા કૃષિ રસાયણો અને તેની જીવાતના ચોક્કસ ભાગ પર આક્રમણ કરી નાશ કરવાની કાર્ય પ્રણાલી આધારિત કૃષિ રસાયણોનું સતત સંશોધન થતું રહ્યું છે. આવું જ એક રસાયણ સાયનોપાયરાફેન (Cyenopyrafen) છે.જે કથીરીનુ સારૂ નિયંત્રણ કરે છે. આ કથીરીનાશકની નોંધણી ભારતમાં તાજેતરમાં કરવામાં આવી છે. ભારતમાં આ કથીરીનાશક સોલ્યુબલ કોન્સર્ટ સ્વરૂપમાં જ ઉપલબ્ધ બનેલ છે. આ કથીરીનાશક કુનોઇચી, સ્ટારમાઇટતથા અરીમાના નામે મળે છે. જેનું વિશ્વ-વ્યાપી ઉત્પાદન સીજેન્ટા તથા નિશાન એગ્રો. કેમિકલ્સ કરે છે. આ રસાયણ દક્ષિણ કોરિયા, કોલંબિયા અને યૂકાડોર જેવા દેશોમાં હાલમાં બજારમાં ઉપલબ્ધ છે. આ કથીરીનાશક તાજેતરમાં જ ભારતમાં કુનોઇચી (Cyenopyrafen) ૩૦ એસ.સી.ના વ્યાપારી નામે નિશાન કેમિકલ્સ કોર્પોરેશન, જાપાન અને ઇન્સેક્ટિસાઇડ ઇન્ડિયા લિમીટ નો સંયુક્ત ઉપક્રમે બજારમાં મૂકવામાં આવી છે. 

આ આધુનિક કથીરીનાશક સાયનોપાયરાફેનનો સમાવેશ પાયરેઝોલ વર્ગમાં કરવામાં આવે છે. જે જુદા જુદા પાકોમાં નુકસાન કરતી પાનકથીરી સામે ઉપયોગ કરતા સારા પરીણામો મળે છે. આ રસાયણની પાનકથીરીને મારવાની પદ્ધતિ કઇક જુદા પ્રકારની છે. આ રસાયણ પાનકથીરીના શરીરમાં રહેલા કણાભસૂત્ર (mitochondria) પર અસર કરે છે. જેને શક્તિ ઉત્પન્ન કરતા કારખાના તરીકે ઓળખવામાં આવે છે 

અને તે શરીરના વિવિધ કોષો માટે રસાયણિક શક્તિ પેદા કરે છે. જયારે સાયનો પાયરાફેનનો છંટકાવ કરવામાં આવે ત્યારે કથીરીના શરીરમાં આ શક્તિ મળતી બંધ થઈ જાય છે જેના પરીણામે લકવો થતાં કથીરી નાશ પામે છે. આ કથીરીનાશકના યોગ્ય વપરાશથી કથીરીમાં પ્રતિકારકશક્તિ ઉત્પન્ન થતી નથી. આ કથીરીનાશક પક્ષી, મધમાખીઓ તથા પરભક્ષી કથીરીઓ પર ઓછી ઝેરી માલુમ પડેલ છે જયારે માછલીઓ અને અન્ય કરોડર૩૬ વગરના પ્રાણીઓ પર વધુ ઝેરી માલુમ પડેલ છે. પરંતુ તે પાણી તથા જમીનમાં ઝડપથી વિઘટન પામતી હોઈ ઝોખમ ઓછું રહે છે. 

આ કથીરીનાશક સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ(CIR)માં પણ નોંધણી પામેલ છે. આ રસાયણનો સફરજનની કથીરી માટે ર-૩ મિ.લિ. અને મરચીની કથીરી માટે ૪-૬ મિ.લિ. પ્રતિ ૧૦લિટરે વપરાશ કરવાનું જણાવવામાં આવેલ છે. આ કથીરીનાશકના છંટકાવ બાદ સફરજન અને મરચા અનુક્રમે ૧૫ અને ને ૭ દિવસ બાદ ઉતારવાથી તેની અવશેષ અસરનો પ્રભાવ રહેતો નથી. 

ડો. આર.કે. ઠુંમર, કુ. ખુશ્બુ પટેલ, ડો. પી. કે. બોરડ, કીટક શાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય. આણંદ કૃષિ યુનિવર્સીટી, આણંદ-૩૮૮૧૧૦

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

Advertisements

કૃષિ માહિતીનો ખજાનો

Advertisements
Advertisements

મરચીના ખેડૂતો માટે ખુબ સારા સમાચાર છે

મરચીની વાત નીકળી છે તો નોંધો કે મિઝોરમ રાજ્યમાં ઓર્ગેનિક રીતે પકાવવામાં આવતી મરચીની જાત બર્ડ આઈ પહેલી વખત અમેરિકામાં નિકાસ થઇ છે. ત્યાંના કૃષિ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ફાયદાકારક બેક્ટેરિયા

આ પ્રકારના બેક્ટેરિયલ પ્રજાતિને વનસ્પતિ વિકાસ વધારનાર બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મૂળના વિસ્તારમાં જીવતા મુક્તજીવી બેક્ટેરિયા (એકટોરાઈઝોસ્ફીયર), મૂળના બાહ્યત્વચા પર જીવતા બેક્ટેરિયા (રાઈઝોપ્લાન)

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચીમાં ૧૪ પ્રકારની ફુગ, ૧૬ પ્રકારના , , ૫ પ્રકારના બેકટેરીયા અને ૬ પ્રકારના કીટકો લાગે છે,

હવે ટેકનોલોજી બદલાઈ છે રોગકારક જાણવા માટે અદ્યતન સાધનો જેવા કે મલ્ટીપલ પીસીઆર અને કેમીકલ અને માઈક્રોસ્કોપ- શુક્ષ્મ દર્શક યંત્ર આવ્યા છે અને તે કઈ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

શું તમને સમાચાર મળ્યા કે મેગેઝીન હવે ટેલીગ્રામમાં ફ્રી વાંચવા મળે છે ?

જો ના, તો જાણો કે ૪૬ વર્ષથી પ્રસિદ્ધ થતું કૃષિ વિજ્ઞાન દર મહીને પ્રસિદ્ધ થાય છે અને તેનું વાર્ષિક લવાજમ રૂ. ૩૯૯ /- છે તેમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રિટોરવા એક નવી પ્રોડક્ટ

શું તમે વાયરસ સામે એન્ટીવાઈરસ પ્રવૃત્તિ કરીને છોડને તેના આઘાતથી બચાવવા માંગો છો ? તો જાણો કે વાયરસ ચુસીયા જીવાત દ્વારા ફેલાય છે.
આ માહિતી તમારી ખેતી બદલી નાખે અને તમને ઉપાય મળી જાય. 9898038222

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જીવાત : નાળિયેરીમાં ગેંડા કીટક

આ જીવાતની માદા કીટક છાણીયાં ખાતરના ખાડામાં ઈંડા મૂકતી હોવાથી નાળિયેરીના બગીચામાં અથવા નજીકમાં ખાતરના ખાડા કરવા નહી. આજુબાજુના ખાતરના ખાડામાં ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ વ્યવસ્થાપન : વરસાદ મોડો પડે તો તે અંગેનું આયોજન શું ધ્યાન રાખવું ? 

૧૫મી જુલાઇ સુધીમાં વાવણી લાયક વરસાદ પડે તો ટૂંકા ગાળામાં વધુ ઉત્પાદન આપતા વિસ્તારને અનુરૂપ પાક અને તેની જાતનું પ્રમાણિત બિયારણનું વાવેતર કરવું જેવા કે,…♦

વધુ વાંચવા અહીં ક્લિક કરો

યુએસ સીડ્સની નંબર – ૧ જાત SW-૪૩૧ : ફિલ્ડ રીપોર્ટ

નંબર-૧ જાત એસડબલ્યુ-૪૩૧ પ્રકાશભાઈ વજુભાઈ ખુંટ મુ. ઉમરાળી, તા. જેતપુર, જી.રાજકોટ મો. ૯૮૨૫ ૯૭૨૬૫૫ 🌶 મેં આ વર્ષે યુએસ એગ્રી સીડ્સના મરચા એસડબલ્યુ-૪૩૧નું વાવેતર ૬/૭/૨૦૨૪ના

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks