
કોઈપણ છોડ હોય, મરચી હોય કે ટમેટા, કપાસ હોય કે કમોદ બધા પાકમાં રોગના લક્ષણો દેખાવાનું શરૂ થાય ત્યારે પગલા લેવા પડે કાણા વાળા ટપકા થાય, પાણી પોચા ટપકા થાય, મૂળ કે થડ ઉપર ગળું પડે, છોડને ઉભક લાગ્યો હોય તેમ એકાદ છોડ મરી જતો નજરે ચડે ત્યારે તુરત જ જાગી જવું જોઈએ. મરચાનો એન્થ્રેકનોઝ નામના રોગમાં ફળ ઉપર ગોળાકાર રીતે ડાઘ પડે છે. તેની શરૂઆત ૧૫/૨૦ દિવસ અગાઉ થઈ હોય છે અને આપણે નિયંત્રણના પગલા લઈએ છીએ. મોડા, ખેતરમાં આંટો મારો એકલ દોકલ છોડના પાન, થડ, છોડમાં થતા બદલાવને ઘ્યાનમાં લ્યો.



























