
છોડને પડતા છુપા તણાવ એટલે કે છોડને પડતો આઘાત (સ્ટ્રેસ)ની વાતને આગળ સમજીએ જો વધુ વરસાદ પડે અને ખેતરમાં જળ ભરાવ થાય તો તેનો તણાવ છોડના મૂળને ગૂંગળાવી નાખે છે . જમીનની નીચે ગૂંગળામણ થવી એટલે છોડને ઓછો ઓક્સિજન મળવાથી મૂળની ગૂંગળામણને કૃષિ વિજ્ઞાનની ભાષામાં એનોક્સિયા કહે છે . જો સતત ૪-૫ દિવસ સુધી પાણી ભરાઈ રહે, તો માટીમાં રહેલો બધો જ ઓક્સિજન ખલાસ થઈ જાય છે. સ્થિતિ એનોક્સિયામાં ફેરવાઈ જાય છે અને છોડના મૂળ સડીને નાશ પામે છે. વધુ પડતું પાણી એ કોઈ સમૃદ્ધિ નથી તે ઓક્સિજનની અછત છે. મૂળ શ્વાસ લેવા માટે સંઘર્ષ કરે છે. છોડને ભેજ જોઈએ છે તેના માટે ડ્રિપ ઇરીગેશન એક આદર્શ પદ્ધતિ છે આપણે આપણી ખેતી માં સપાટ ક્યારની ખેતી પદ્ધતિ બદલીને પાળા અને મલચીંગ અને ડ્રિપ સાથે ખેતી કરવાનું અપનાવવું પડશે મિત્રો.















