ચીઢો નીંદણને છૈયા  કહે છે, તેનું અંગ્રેજી નામ નટસેજ (nutsedge) છે. ચીઢાની અનેક પ્રજાતિઓ છે, તે પૈકી આપણાં વિસ્તારમાં સાયપ્રસ રોટડસ (Cyperus rotundus) નામની પ્રજાતિ જોવા મળે છે, જે ગુલાબી ચીઢો (yellow nutsedge) તરીકે પણ ઓળખાય છે. ચીઢો બહુવર્ષાયુ, ઊંડા મૂળ ધરાવતું, એકદળી નીંદણ છે. બધી જ જગ્યાએ, બધા જ પાકોમાં અને બધી જ ઋતુઓમાં થાય છે, જો કે શિયાળામાં ઓછી વૃદ્ધિ હોય છે. બધા જ પ્રકારની જમીનમાં થાય છે, પથરાળ જમીનમાં પણ થાય છે. ભારે કાળી, ચીકણી, ફળદ્રુપ અને ભેજવાળી જમીન વધુ માફક આવે છે. તેનું પ્રસર્જન અને ફ્લાવો મુખ્યત્વે કંદ દ્વારા ૯૦ – ૯૫% અને બીજ દ્વારા ૫-૧૦% થાય છે. જમીનમાં ચીઢાના એક છોડને ૨-કંદની સાંકળ હોય છે. સાનુકૂળ પરિસ્થિતિમાં એક ચોરસ ફૂટ વિસ્તારની જમીનમાં ચીઢાના પ૬ નવા છોડ અને ૨૬૦ નવા કંદ ઉત્પન્ન થઈ શકે છે. એક માતૃ કંદમાંથી એક મહિનામાં ૪ અન્ય કંદ ઉત્પન્ન થાય છે, આમ, ૩ મહિનામાં કંદની વસ્તી અંદાજે ૧૦૦ સુધી પહોંચે છે. ચીઢોના પાન લીસા તેમજ જાડા હોવાથી દવા પાન પર ટકી શકતી ન હોઈ, પાન દ્વારા બરાબર શોષતી નથી. ઉપરાંત જમીનમાં કંદની હારમાળા હોઈ, શોષાયેલ દવા માંડ એકાદ-બે કંદ સુધી પહોંચે છે. તેથી બાકીના કંદમાંથી નવો છોડ ફૂટે છે. આમ તો ચીઢોનું સંપૂર્ણ રીતે નિયંત્રણ કરવું શક્ય નથી, તેમ છતાં સંકલિત ઉપાયોથી ચીઢોને કાબુમાં રાખી શકાય છે. 

  • ઉનાળામાં ઊંડી ખેડ કરી સૂર્યના સખત તાપમાં જમીન તપાવવી. જમીનમાંથી ઉપર આવેલ કંદ ૧૪ દિવસ સૂર્યના તાપમાં રહે તો સુકાઈ જાય છે. કંદમૂળીયા ભેગા કરી નાશ કરવો. શક્ય હોય તો મે-જૂન માસમાં જમીન પર પ્લાસ્ટિક આવરણ પાથરી ૧૫ દિવસ જમીનનું સૌરકરણ કરવું. 
  • વારંવાર ખેડ કરી ચીઢો -છોડનો નાશ કરવો, જેથી જમીનની અંદર રહેલ કંદમાં સંગ્રહિત ખોરાક ખાલી થાય અને કંદ ધીમે ધીમે ઉપર આવે.
  • ચીઢો છયા સંવેદનશીલ હોઈ, છાંયાવાળા પાકો જેવા કે જુવાર, તુવેર, એરંડાનું વાવેતર કરવું. ચીઢો વાળી જમીન પર ઘઉંનું કુંવળ પાથરવું.
  • ચીઢો નીંદણની ૩-૪ પાન અવસ્થાએ ગ્લાયફોસેટ ૪૧% એસ.એલ. અથવા ગ્લાયફોસેટ ૭૧% એસ. જે. દવા ૧૨૦ મિ.લિ. સાથે ૧૦૦ થી ૧૫૦ ગ્રામ એમોનિયમ સલ્ફટ કે યુરીયા ૧૦ લિટર પાણીમાં ઓગાળી નીંદણ હોય તેટલાં ભાગમાં નીંદણ બરાબર ભીંજાય તે રીતે દ્રાવણનો છંટકાવ કરવો.
  • ઉપરાંત  – ગ્લફોસીનેટ એમોનિયમ. દવા ૧૨૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે ચીઢાવાળા ભાગમાં છાંટવાથી નિયંત્રણ કરી શકાય છે. 
  • ગ્લાયફોસેટ અને ગ્લફોસીનેટ એમોનિયમ અવર્ણાત્મક દવાઓ હોઈ, ઊભા પાકમાં છાંટી શકાય નહીં. જો કે પહોળા અંતરે વવાતા પાકોમાં પાક પર દવા ન પડે તે રીતે નિર્દેશિત છંટકાવ કરી શકાય.
  • છંટકાવ સમયે જમીનમાં ભેજ હોવો જોઈએ. છંટકાવ પછી જમીનમાં રહેલ કંદમાથી નીકળતા નવા છોડમાં પાન દેખાય ત્યારે ફરીથી છંટકાવ કરવો. છંટકાવ બાદ ૨૦ દિવસ સુધી કોઈ ખેતી કાર્ય કરવા નહીં.
  • હેલોસલ્ફ્યુરોન-મિથાઈલ નામની દવા ખાસ ચીઢો માટે જ નોંધાયેલ છે. ચીઢોના નિયંત્રણ માટે પાક ન હોય ત્યારે હેલો ફ્યુરોન-મિથાઈલ ૭૫% ડબલ્યુ.જી. દવા ૧.૮ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે નીંદણ હોય તેટલાં ભાગમાં નીંદણ બરાબર ભીંજાય તે રીતે દ્રાવણનો છંટકાવ કરવો. ફરીથી ઊગેલ ચીઢોના છોડ પર ૧ થી ૨ માસે બીજો છંટકાવ કરવો. દવા છાંટ્યા બાદ 3 મહિના સુધીમાં કોઈપણ પાક લેવો નહીં. મકાઈ અને શેરડી સિવાય ઊભા પાકમાં આ દવા છાંટી શકાતી નથી.
  •  ખેતરમાં કોઈ પાક ન હોય ત્યારે હેલોસક્યુરોન મિથાઈલ ૭૫% ડબલ્યુ.જી. ૦.૯ ગ્રામ તથા ગ્લાયફોસેટ ૪૧% એસ.એલ. ૬૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણી પ્રમાણે ટાંકીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. જરૂર જણાયે બીજો છંટકાવ કરવો. દવા છાંટ્યા બાદ ૩ મહિના સુધીમાં કોઈપણ પાક લેવો નહીં.
  •  બિન-પાક પરિસ્થિતિમાં પૂર્વ-મિશ્રીત દવા ઓક્સીફ્લોર ૨.૫% + ગ્લાયફોસેટ ૪૧% એસ.સી. ૮૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે ચીઢો હોય તે વિસ્તારમાં છંટકાવ કરવાથી ચીઢોનું નિયંત્રણ થઈ શકે છે. 
  • આ સિવાય ઈથોકસી સક્યુરોન (ડાંગર અને શેરડીમાં), બેનસફ્યુરોન (ડાંગરમાં), એઝીમસક્યુરોન (ડાંગરમાં), પાયરોઝાસક્યુરોના (ડાંગરમાં), બેન્ટાઝોન (સોયાબીન અને ડાંગરમાં), ક્લોરીબ્યુરોન (સોયાબીનમાં), સલ્ફન્ટ્રાઝોના (શેરડીમાં), ઈમાઝથાપાયર (સોયાબીનમાં), મેટસક્યુરોન (ઘઉં, શેરડી અને ડાંગરમાં), ટ્રાયફ્લોક્સીસફ્યુરોન (કપાસ અને શેરડીમાં), ઈમાઝોફ્યુરોન (ડાંગરમાં) દવાઓ પણ ચીઢોનું અમુક અંશે નિયંત્રણ કરે છે.

સાભાર ડો. આર.કે. માથુકીયા

નીંદણ : ચીઢો (છયા) (Cyperus rotundus)

ચીઢો નીંદણને છૈયા  કહે છે, તેનું અંગ્રેજી નામ નટસેજ (nutsedge) છે. ચીઢાની અનેક પ્રજાતિઓ છે, તે પૈકી આપણાં વિસ્તારમાં સાયપ્રસ રોટડસ (Cyperus rotundus) નામની પ્રજાતિ જોવા મળે છે, જે ગુલાબી ચીઢો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીના પાંદડા ખરે કેવી રીતે ?

મરચીના પાંદડા ખરવાનું કારણ… મરચીમાં બે રોગ આવે છે એક બેકટેરીયલ સ્પોટ- પાનના ટપકાનો રોગ અને બીજો સરકોસ્પોરા લીફ સ્પોટ- આ બન્ને રોગ લાગ્યા પછી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

તરબૂચ – ટેટીમાં વાવણી અંતર અને બીજનો દર શું રાખવો જોઈએ ?

સામાન્ય રીતે જમીનની પ્રત અને ફ્ળદ્રુપતા મુજબ તરબૂચ અને શક્કરટેટીનું વાવેતર ૨ મીટર x ૧ મીટર , ૧.૫ મીટર X ૧ થી ૧.૫ મીટરના અંતરે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાણું (બેક્ટેરિયા)

 – જીવાણું (બેક્ટેરિયા) : બેક્ટેરિયા પાવડરને પાણી સાથે ભેળવી પાક પર છાંટવામાં આવે છે. જેથી. બેક્ટેરિયા પાનની સપાટી પર સ્થિર થાય છે. જીવાત જ્યારે આવા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

દિવેલામાં નીંદણ નિયંત્રણ કેમ કરવું ?

દિવેલામાં નીંદણ નિયંત્રણ ઉત્તર ગુજરાત ખેત-હવામાન વિસ્તાર (ખેતી આબોહવા પરિસ્થિતિ-૧) માં પિયત દિવેલાનું વાવેતર કરતાં ખેડૂતોને દિવેલાના પાકમાં અસરકારક અને અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

દાળિયા (લેડી બર્ડ બીટલ)

દાળિયા (લેડી બર્ડ બીટલ ) : તે ખૂબ જ જોવા મળતું અને જાણીતું પરભક્ષી કોટક છે. ખેતીમાં તેનો એક દાયકાથી કીટકીના જૈવિક નિયંત્રણ માટે ઉપયોગ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મગફળીના ભોટવા (ગ્રાઉન્ડ નટ પોડ બોરર) જીવાતની નિયંત્રણ વ્યવસ્થા:

મગફળીનો સંગ્રહ કરતાં પહેલાં તેને સુર્યના તાપમાં બરાબર સૂકવવી અને દાણામાં ૭ ટકા ભેજ રહે ત્યાર બાદ તેનો કોઠારમાં સંગ્રહ કરવો. કોઠારમાં સંગ્રહ કરતાં પહેલા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પરવળની ખેતીમાં છાટણી

પરવળની ખેતીમાં છાટણી વિશે જણાવતા સર્વશ્રી શ્રી એસ.એસ. દરજી શ્રી જી. એસ. પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ, સમોડા-ગણવાડા, તા. સિદ્ધપુર જિ. પાટણ-૩૮૪૧૫૧ ફોન

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

લીલો પડવાશ અને પ્રાકૃતિક ખેતી

જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધારવા શણ,ઇક્ક્ડ, ચોળા, ગુવાર, અડદ, મગ જેવા કઠોળ વર્ગના પાકો ઉગાડી તેને ફૂલની અવસ્થાએ જમીનમાં દાબી દેવામાં આવે છે. જે કોહવાઈ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મૂળ ગાંડીકા એટલે યુરિયાની ફેક્ટરી

મૂળ ગાંડીકા એકલે યુરિયાની ફેક્ટરી કઠોળ વર્ગના મૂળનું તો અદ્ભુત કાર્ય છે. મગફળી, મગ, અડદ, મઠ જેવા પાકો શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય છે. આ વનસ્પતિના

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

બોર્ડો મિશ્રણ બનાવવાની રીત

જરૂરિયાત : (૧) મોરથુથુ (૨) ફોડેલો ચુનો અને (૩) પ્લાસ્ટીકની ત્રણ ડોલ અથવા માટી કે લાકડાના વાસણ. સામાન્ય રીતે પઃપ૫ઃ૫૦ ના પ્રમાણમાં બોર્ડા મિશ્રણ બનાવવા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ટામેટા : નીંદણ નિયંત્રણ

ટામેટીની પાકમાં નીંદણ નિયંત્રણ માટે હેક્ટર દીઠ ૦.૭૦ કિ.ગ્રા. મેટ્રીબ્યુઝીન ફેરરોપણી બાદ એક અઠવાડિયામાં છાંટવી. જો બજારમાં મેટ્રીબ્યુઝીન લભ્ય ન હોય તો હેકટર દીઠ ૧:૧૨૫

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

એગ્રીલેન્ડ માત્ર કંપની નહીં, વિશ્વાસનું બીજું નામ છે

કોઇપણ કંપની પોતાના વ્યાપાર માટે જ અસ્તિત્વમાં આવી હોય એ હકીકત છે, દરેક કંપની પોતાના વિકાસ માટે જ કામ કરતી હોય એ પણ એક સ્વિકાર્ય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સોયાબીન : નીંદણ નિયંત્રણ

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત-હવામાન ખેડૂતોને ચોમાસુ સોયાબીનના પાકમાં અસરકારક અને અ અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે ફ્લ્યુકોરાલીન હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવાની અને ૨૦-૨૫

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગાય પ્લાસ્ટિક ખાય જાય તો શું થાય ?

ગાય પ્લાસ્ટિક ખાય જાય ભગવાન બહુ દયાળુ છે. ગાય – ભેંશ જેવા ઢોરના પેટમાં કુદરતે એવી કરામત કરેલી હોય છે કે તેના પેટમાં કુલ ચાર

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીનની નિતારશક્તિમાં સુધારો કરવો કેમ જરૂરી છે ?

 જમીનની નિતારશક્તિમાં સુધારો જરૂરી : જમીનની નિતારશક્તિ જો નબળી હોય તો તે પાકના વિકાસમાં અવરોધ ઊભો કરે છે તેમજ જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવાણુઓની પ્રક્રિયાઓ પણ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઘઉં : ઘઉંમાં નીંદણ નિયંત્રણ

* ઉત્તર ગુજરાતની પરિસ્થિતિમાં પિયત ઘઉંમ નીંદણ નિયંત્રણ માટે ૨, ૪-ડી સોડિયમ સોલ્ટ હેકટરે ૦.૯૬ કિ.ગ્રા. મુજબ ઘઉંના વાવેતર બાદ ૩૦ થી ૩૫ દિવસે છાંટવું.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃષિ ટેકનોલોજી : ટોમેટો કોન્ફરન્સ

ટોમેટો કોન્ફરન્સ આપણે ત્યાં હજુ ખેતીને આધુનિક વૈજ્ઞાનિક અભિગમ મળ્યો નથી ખેડૂતો નવી નવી ટેકનોલોજી અને પ્રોડક્ટ ને સમજવા અને શીખવા કોન્ફરન્સ કે મિટિંગમાં પૈસા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નફાકારક ખેતીનો ઉત્તમ વિકલ્પ – ઔષધીય પાક – કાળુ જીરુ (નિધી – કલોંજી)

નમસ્કાર ખેડૂતમિત્રો, આજના સમયમાં જ્યારે ખેડૂતો નફાકારક અને ઓછા ખર્ચાળ પાકની શોધમાં છે, ત્યારે કાળું જીરુ (કલોંજી) એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. કલોંજી ઔષધીય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

થ્રિપ્સ વિષે જાણો

 થ્રિપ્સ વિષે જાણો : થિપ્સ એક્દમ નાજુક ૧થી ૨ મિ.મી લંબાઈના, શંકુ આકારના પીળાશ પડતા કે ભૂખરાં રંગના કીટક છે. બચ્ચાં પાંખો વગરના હોય છે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
Enable Notifications OK No thanks