aries agro

વરસાદ નથી ત્યારે ખેતર ઉભેલો કપાસ અને મગફળી શું વાત કરે છે તે સાંભળો : કપાસ પછીની હારથી શરૂ થતી મગફળીનો એક છોડ કપાસને કહે તમારે તો હજુ સારું છે કે તમને જમીનમાં રહેલા વ્હાઈટ ગ્રબ-મુંડા અથવાતો સફેદ ધૈણ નથી આવ્યા. આ વર્ષે કેવું વાતાવરણ રહ્યું ખબર નહિ. અમારા મગફળીના મૂળ-પોપટા વધુ ખાય જાય તેવા જમીન જન્ય સફેદ કીડાએ તો ભારે કરી છે ? મગફળીની પેદાશ પણ ઓછી થાશે , આટલી વાત ચાલે છે ત્યાં ખેતરની જમીનને પણ થયું કે લાવને કપાસ અને મગફળી બન્ને ને કહું કે અમારી જમીનની શું સ્થિતિ છે. જમીન એટલે કે ધરતીમાતા મીઠા મધુરા અવાજે કહે કે સાંભળો મગફળી બેન અને કપાસ ભાઈ છેલ્લા કેટલાક વર્ષોથી જમીનમાં સત્વ અને રસ કસ બધા ચાલ્યા ગયા છે. બધાને રાસાયણિક ખાતરો અને જમીનમાં થતા કીડા માટે જંતુનાશક દવાઓ રેડવી છે. આ બધુ તો ઠીક સેન્દ્રીય તત્વોનું ઉમેરણ કરવું નથી , કાર્બન વધારવાની તો ખબરજ નથી , ઉપયોગી સૂક્ષ્મ જીવો વધારવાનું તો સૌ ભૂલી ગયા છે .બાપદાદાએ આપેલી પાડાના કાધ જેવી જમીનમાથી બસ લીધા કરવું છે પણ પુરણ કરવું નથી, બોલો , ગાયો રાખવી નથી, ટ્રેકટર જેવા ભારે ખમ સાધનો ચલાવીને જમીનને દબાવી દેવી છે. જમીનને કેળવવાની વાત સાવ બધા ભૂલી ગયા છે. જમીનમા ઉપયોગી બેકટેરીયા બધા ખતમ થઈ ગયા અને આ સફેદમૂંડા, નેમેટોડ, તળકીડી, ફુગ એટલું બધું વકરી ગયું છે આમાં ક્યાંથી ઉત્પાદન મળશે ? ! એમાંય પાછો વરસાદ નથી ?

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

કૃષિ માહિતી : કપાસમાં ટૂંકા ગાળે  વાવેતર પદ્ધતિ એટલે શું ?  

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ (હાઇ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ -HDPS) એ એક નવી ખેતી પદ્ધતિ છે, જેણે વિશ્વભરમાં, ખાસ કરીને ચીન, ભારત, તુર્કી, બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોમાં કપાસની ખેતીમાં લોકપ્રિયતા મેળવી છે.

વધુ વાંચો....

કપાસના વાવેતર અને નક્ષત્રનો સંબંધ: વૈજ્ઞાનિક અને પ્રાચીન જ્ઞાનનો સમન્વય

કપાસ પાક એ ગુજરાત સહિત અનેક રાજ્યના ખેડૂતો માટે મુખ્ય આવકનો સ્ત્રોત છે. આજકાલ કૃષિ ખર્ચ વધતા, ખેડૂતો માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવી એક કળા બની ગઈ છે. પણ આપણી પરંપરાગત

વધુ વાંચો....

મગફળી જેવા તેલીબિયા પાકોમાં પોષક તત્વોથી વધુ ઉપજ

ઘણી વખત જમીનમાં લોહતત્ત્વની ઉણપને લીધે મગફ્ળીના પાકમાં પીળાશ દેખાય ત્યારે ૧૦ લિટર પાણીમાં ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરાકસી) અને ૧૦ ગ્રામ સાયટ્રીક એસિડ (લીંબુના ફૂલ) ઓગાળી તેનો છંટકાવ કરવાની સલાહ….

વધુ વાંચો....

પોષક તત્વો : શાકભાજીના પાકોમાં પોષક તત્વો આપવા શા માટે જરૂરી ?

ઉત્તર ગુજરાતના લોહતત્ત્વની ઉણપવાળી જમીનમાં બટાટા ઉગાડતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત મલ્ટી માઈક્રોન્યુટ્રીઅન્સ મિક્સર ગ્રેડ-૨ (કે જેમાં લોહ ૬%, મેંગેનીઝ ૧%, ઝીંક ૪%, કોપર ૦.૩%

વધુ વાંચો....

આવી શોધ કરનારને દુનિયા મદદ પણ કરે છે.

આવી શોધ કરનારને દુનિયા મદદ પણ કરે છે. વિશ્વને હજુ ક્લાઈમેટ સામે લડે તેવી જરૂરિયાતને ધ્યાનમાં લઈને બેલ્જિયમની રેઈનબો ક્રોપ નામની કંપનીએ આબોહવા પરિવર્તન (Climate Change) સામે ટકી શકે તેવા અને વધુ

વધુ વાંચો....

આવું થાય ખરું ?

અગાઉ કૃષિ વૈજ્ઞાનિકોએ આઘાત સહન કરી શકે તેવી નવી જાતોનું સંશોધન કરવું પડશે. તે વાત કરી હતી તે વિષે આગળ વાત કરીએ તો આવું થાય ખરું ? ફિલિપાઈન્સનો દાખલો લઈએ IRRI ના પ્રિન્સિપલ

વધુ વાંચો....

ટામેટા, તરબૂચ અને કોબીજ જેવા પાકોમાં ફળ કે દડો ફાટી જવો એ શું કોઈ રોગને કારણે હશે ?

ટામેટા, તરબૂચ અને કોબીજ જેવા પાકોમાં ફળ કે દડો ફાટી જવો એ એક સામાન્ય સમસ્યા છે. ઘણા ખેડૂતો માને છે કે આ કોઈ રોગને કારણે અથવા બીજને કારણે થાય છે, પરંતુ મોટાભાગના

વધુ વાંચો....

ખેતરના શેઢે બોર્ડ મારવું પડશે કે પ્રવેશ નિષેધ

આપણી ખેતીમાં ઘણા રોગો અટકાવવા ખેતરના શેઢે બોર્ડ મારવું પડશે કે પ્રવેશ નિષેધ . ખેતીમાં વપરાતા મોટા મશીનો (ટ્રેક્ટરના ટાયર, હળ) ને ખેતરમાં પ્રવેશતા પહેલા અને કામ પૂરું થયા પછી સાફ કરવા

વધુ વાંચો....

એક ખેતરમાંથી બીજા ખેતરમાં નવા રોગો ફેલાવી શકે છે.

આપણને ખબર છે કે ખુલ્લા ખેતરમાં મજૂરો એક હરોળથી બીજી હરોળમાં સતત ફરતા હોય છે, જે વાયરસ ફેલાવવાનું મુખ્ય કારણ બને તો ખરી મુશ્કેલી આવી શકે. આપણે સાધનોનો પણ સહિયારો ઉપયોગ કરીયે

વધુ વાંચો....

ToBRFV જેવા વાયરસ હવે માત્ર ગ્રીનહાઉસ પૂરતા મર્યાદિત નથી

ખુલ્લી ખેતીમાં પણ હવે ખેતરની સ્વચ્છતા એટલું જ જરૂરી છે, જોકે ત્યાં તેને અમલમાં મૂકવું ગ્રીનહાઉસ કરતા થોડું અલગ અને પડકારજનક હોઈ શકે છે. ToBRFV જેવા વાયરસ હવે માત્ર ગ્રીનહાઉસ પૂરતા મર્યાદિત

વધુ વાંચો....

ટામેટા અને મરચાં ToBRFV નવો વાયરસ ! શું આનિયંત્રણ આપણે કરી શકીશું ?

આ નોંધો,  યુરોપની જેમ ToBRFV (ટોમેટો બ્રાઉન રુગોઝ ફ્રૂટ વાયરસ) ગ્રીન હાઉસનો વાઇરસ ઓપન ફિલ્ડમાં ઉગાડતા ટામેટા અને મરચાંની ખેતી માટે પણ ગંભીર ખતરો ભવિષ્યમાં આપણે ત્યાં ઉભો કરી શકે  છે કારણ

વધુ વાંચો....

પાંદડાની વૃદ્ધિ અટકી જવાનું કારણ હોઈ શકે મૂળને નુકસાન અને …

પાંદડા પર ડાઘ / પેશીઓનો નાશ (નેક્રોસિસ)નું કારણ ફૂગ/બેક્ટેરિયલ ચેપ અથવા પોષક તત્વોનું અસંતુલન. મેન્કોઝેબ / કોપર ઓક્સિક્લોરાઇડ / કાર્બેન્ડાઝિમનો છંટકાવ કરો. છોડ પર ઉપરથી પાણી છાંટવાનું ટાળો. સંતુલિત પોષણની ખાતરી કરો.

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks