
મરચીમાં એન્થ્રેકનોઝ રોગનું નિયંત્રણ કેવી રીતે કરવું? સૌથી પહેલું સારા જીનોટાઇપ વાળું રોગમુક્ત બીજ લઇ બીજ માવજત આપવી જોઈએ .ખેતી પદ્ધતિમાં ફેરફાર કરો. એકને એક ખેતરમાં મરચી ફરી નહિ . પાકની ફેરબદલી કરો .રોગિષ્ટ છોડનો વહેલી તકે નાશ કરો. પાળા ઉપર મ્લચીંગ અને ડ્રિપ સાથે મરચી કરો . ફેરરોપણીના આશરે ૨ મહિના પછી (અથવા ફૂલ-ફળ આવવાની શરૂઆતમાં) કાર્બેન્ડાઝીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩% WP ( સાફ) 45 થી 55 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ 40 ગ્રામ 15 લીટર પાણીમાં ભેળવીને ૧૦ થી ૧૨ દિવસના અંતરે ૩ થી ૪ ઘાટો છંટકાવ કરવો . જો રોગનો ફેલાવો વધુ હોય, તો નવી પેઢીની ફૂગનાશક જેમ કે એઝોક્સિસ્ટ્રોબીન ૧૮.૨% + ડાયફેનોકોનાઝોલ ૧૧.૪% SC (એમિસ્ટાર ટોપ) 15 મિલી અથવા ટેબ્યુકોનાઝોલ + ટ્રાયફ્લોક્સિસ્ટ્રોબીન (નેટિવો) 15 ગ્રામ પ્રતિ 15 લીટર પાણીમાં ઓગાળીને પંપ દ્વારા છાંટવી. વધુ માહિતી માટે નજીકના કૃષિ નિષ્ણાંતને મળો અથવા https://aajnikheti.blogspot.com/ મુલાકાત લ્યો .
















