
મરચીમાં રોગ ફેલાવા માટે રોગકારક સાનુકુળતા મળે ત્યારે રોગ ફેલાય છે. એટલે કે રોગના ફેલાવ માટે વાતાવરણ ખુબ જ અગત્યનું છે. દા.ત. ફાટોપ્થોરા બ્લાઈટ, આ એક એવી ફુગથી થાય છે કે જેને સતત વરસાદ હોય, જમીન ભીનીને ભીની હોય, વાતાવરણમાં ભેજ વધુ હોય દા.ત. ૧૦૦% ભેજવાળા દિવસો ઉપર દિવસો જતા હોય, તાપમાન ૨૦ ડીગ્રી -૪ ડીગ્રી હોય ત્યારે છોડ ઊભો સુકાય જવા મંડે, થડ ઉપર બ્રાઉન ડાઘા પડે ત્યારે આ રોગ થડમાં લાગે, મૂળમાં લાગે, ફળમાં લાગે બોલો વાતાવરણ આવું રહ્યું અને સાવચેતીના પગલા ન લીધા તો મરચીનું આવી બને. જે ખેતરમા આ રોગ આવતો હોય તેણે પાળા ચડાવવા નહિ આપણ ને ખબર છે .


























