
ભૂકીછારો શિયાળુ સીઝનની શરૂઆતમાં આવતો મરચીનો રોગ છે. અત્યારની વાત કરીયે તો દિવસ અને રાત્રીના મહત્તમ અને મિનિમમ તાપમાનમાં 15 ડિગ્રીનો તફાવત થાય તો મરચીમાં ભૂકી છારો આવાની શક્યતા વધી જાય આવા વાતાવરણમાં પાંદડા ઉપર છારો કે છાસીયોનો ચેપ લાગે છે. ચેપ લાગ્યા પછી કાળજી લેવામાં ના આવે તો ૧૫ દિવસે આ રોગના લીધે પાંદડા પીળા થઈ ખરી પડે છે. આ રોગનું નિયંત્રણ પાન લીલા હોય ત્યારે કરો તો જ ફાયદામાં રહી શકાય. ઉગમણા-આથમણા વાવેતરમાં ભૂકીછારો ઓછો આવે છે કારણ કે હવા ઉજાસ રહે છે. ભૂકીછારા થી પાન ખરે તે ખેડૂતની ભૂલ સમજવી કારણ કે આ રોગ ક્યારે લાગે તે ખબર હોય અને સલ્ફર નો છંટકાવ સમયસર થાય ગયો તો ફાયદો અને આવું હવામાન જેટલી વાર થાય તેટલી વાર દવા છાંટવી પડે નહીંતર, એક વાર પાંદડું ખરી ગયું પછી તો રસોડું જ ગયું એટલે નુકશાનની તો શું વાત કરવી ?