કૃષિ અને વિજ્ઞાન સાથ સાથ છે . આ ચોમાસામાં કઠોળ ની ખેતીમાં બધાએ રસ લેવો જોઈએ , કઠોળની ખેતી આંતરપાક તરીકે કરી શકાય છે અને પૂરક આવક સાથે જમીનને પણ નાઈટ્રોજનની ભેટ આપે છે , કઠોળ પાકના મૂળમાં રહેલી મૂળગંડિકા હવામાંથી નાઇટ્રોજન લઈને છોડને આપીને સહજીવી જીવન જીવે છે , કઠોળ પાકોમાં રાઈઝોબીયમનો પટ આપવાથી અનેક ગણો ફાયદો થાય છે , જમીનમાં નાઇટ્રોજનની લભ્યતા વધુ થવાથી આપણા મુખ્ય પાકને પણ ફાયદો થાય છે વધુ વિગત માટે ફોન કરો 99250 32012

કઠોળ પાક જમીનને કેમ ફળદ્રુપ બનાવે ?
કઠોળપાકને કુદરતે અર્ધ સ્વાવલંબી બનાવી મૂળિયામાં એવી કરામત ગોઠવીને લેગ્યુમ બેક્ટેરિયાનો વાસ કરાવેલ છે કે નાઇટ્રોજનનો ઘણોબધો જથ્થો એ હવામાંથી બારોબાર ખેંચી મૂળની ગાંઠોમા સંગ્રહે છે. જે પોતે તો વાપરે જ છે
















