
ખેતીમાં પાક સંરક્ષણ માટે વપરાતી જંતુનાશકોની વિપરીત અસરો ધ્યાનમાં આવતા આખી દુનિયાના કૃષિ વૈજ્ઞાનિકો જૈવિક નિયંત્રણની અને આઈપીએમ તરફ વળ્યાં છે. વિશ્વની નામાંકિત કંપનીઓ જૈવિક નિયંત્રણ માટેની નવી શોધ અને સંશોધન શરુ કરી દીધું છે. હવે પછીના કૃષિ મેળામાં તમને બાયોલોજીકલ સોલ્યુશન પ્રોડક્ટ્સ વધુ જોવા મળશે અને આપણને ખુબ મોટો લાભ મળશે. સિંજેન્ટા, બાયર જેવી કંપનીઓ પણ આ ક્ષેત્રે નવી શોધ લાવશે.




















