
ગયા વર્ષે માંથી શીખ લેવી તે આપણું શિક્ષણ છે, ગયા વર્ષે દિવાળી પછી મરચીના પાન શા કારણે ખરતા હતા તે તમારા માંથી કોણ કહેશે? મરચીના પાટલામાં પાંદડા ખરતા નજરે ચડે તે શેનાએ લક્ષણ છે ? મરચીના વિવિધ રોગોને કારણે મરચીના પાંદડાનું ખરણ થતું હોય છે. દા.ત. બેક્ટેરીયલ લીફ સ્પોટ, સરકોસ્પોરા લીફ સ્પોટ અથવા પાવડરી મીલ્ડ્યું એટલે કે ભૂકીછારાને લીધે પણ પાન ખરે છે આ બધા રોગ ક્યા મહિનામાં આવે તે ખબર હોય તો તેની દવા પસંદગી કરવામાં સરળતા રહે છે. પાંદડા ખરે છે તે પ્રશ્ન છે ,કારણ શું છે ? ઉપાય શું છે ? અને સૌથી અગત્ય નું હું શું કરી શકું ? વિચારો અને પ્રશ્ન નો જવાબ શોધવાનો પ્રયત્ન કરો

























